સુરેન્દ્રનગર જિલ્લામાં S. D. N. P+ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહિલા આઈ.ટી.આઈ ખાતે S. D. N. P+ દ્વારા કિશોરીઓને એચઆઇવી વિશે માહિતી આપેલ અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું.જેમાં S. D. N. P+ પ્રોજેક્ટ કોર્ડીનેટર અશ્વિનભાઈ વાઘેલા હર્ષાબા ઝાલા તેમજ મંજુલાબેન દ્વારા એચઆઇવી વિશેની માહિતી કિશોરીઓને આપેલ હતી. ત્યારબાદ એ આર ટી સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર ડો. વર્મા તેમજ સંસ્થાના પ્રમુખ ઠાકરશીભાઈ ડાભી એ આર ટી સ્ટાફ તેમજS. D. N.P+ ઓલ સ્ટાફ દ્વારા માર્શ કેન્ડલ કરીને એચઆઇવીમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી. આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે S. D. N.P+ના પ્રમુખ ઠાકરશીભાઈ ડાભી તેમજ તમામ સ્ટાફેની જહેમત ઉઠાવેલ હતી.