સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પરથી અવાર-નવાર ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચોટીલા તેમજ મોરબીના ગૌરક્ષકો દ્વારા ચોટીલા હાઈવે પરથી કતલખાને લઈ જવાતા 9 પશુઓને બચાવી રાજકોટ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં અને ઝડપાયેલ આયશરના ચાલક તેમજ ક્લીનર સામે ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતોઆ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પરથી અવાર-નવાર ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવામાં આવતા હોય છે ત્યારે ચોટીલા અને મોરબીના ગૌરક્ષકોને વાંકાનેર તરફથી અમદાવાદ જઈ રહેલ બે અલગ-અલગ વાહનોમાં પશુઓને કતલખાને લઈ જવામાં આવતાં હોવાની બાતમી મળી હતી જેના આધારે હાઈવે પર અલગ-અલગ જગ્યાએ ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી જે દરમ્યાન એક આયશર પશુ ભરેલ પસાર થતાં તેનો પીછો કરતાં આયશરચાલક પથ્થરો ફેંકી વાહન સાથે નાસી છુટયો હતો જ્યારે અન્ય એક આયશરને ઝડપી પાડી તલાશી લેતા તેમાં ક્રુરતાપૂર્વક પાણી કે ઘાસચારાની સગવડતા વગર બાંધેલી હાલતમાં 8 ભેંસ અને એક પાડા સહિત 9 પશુઓ મળી આવ્યાં હતાં. જે તમામને રાજકોટ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતાં જ્યારે આયશરના ચાલક દાડમસીંગ મેહુલજી સોલંકી રહે.વાંકાનેર તેમજ ક્લીનર ભરતભાઈ મેવાભાઈ સોલંકી રહે.વાંકાનેરવાળાને ચોટીલા પોલીસ મથકે લાવી પશુધારા હેઠળ ગુન્હો દાખલ કરાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે પશુઓને બચાવવામાં ગૌરક્ષકો હરેશભાઈ ચૌહાણ, વિપુલભાઈ, રધુભાઈ, દિનેશભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সৃষ্টিশীল যুৱ সংঘ(চকীৰবড়ী)ৰ সৌজন্যত পঞ্চম বাৰ্ষিক শ্ৰীশ্ৰী লক্ষ্মীপূজাৰ আয়োজন
ৰঙিয়া মহকুমাৰ কঞাঁ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত সৃষ্টিশীল যুৱ সংঘ(চকিৰবড়ী)ৰ সৌজন্যত অহা ন-অক্টোবৰৰ দিনা...
गहलोत ने क्यों खड़े किए उपराष्ट्रपति के दौरों पर सवाल?:धनखड़ जिन 10 जिलों में गए, वहां 83 में 21 सीट बीजेपी के पास
प्रोटोकॉल कहता है कि उपराष्ट्रपति यदि राज्य में आए तो यह जरूरी है कि वहां के गवर्नर और...
વન વિભાગ દ્વારા 2 થી 8 ઓક્ટોબર સુધી વન્ય જીવ પ્રાણી સપ્તાહનું આયોજન2022 | Spark Today News
વન વિભાગ દ્વારા 2 થી 8 ઓક્ટોબર સુધી વન્ય જીવ પ્રાણી સપ્તાહનું આયોજન2022 | Spark Today News
नागरिकांनी सतर्क राहण्याचे जिल्हा आपत्ती व्यवस्थापन प्राधिकरणाचे आवाहन
सोलापूर : - प्रादेशिक हवामान विभाग मुंबई यांचेकडून हवामान विषय मिळालेल्या पूर्व सुचनेनुसार...