ધાનેરા તાલુકાના ખીંમત ગામે યુવતીનું અપહરણ કરવા બાબતે 4 મહિલાઓએ એક મહિલાને ગડદાપાટુનો મારમાર્યો હતો.આ અંગે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ધાનેરા તાલુકાના ખીંમત ગામે યુવતીનું અપહરણ કરવા બાબતે ભીખીબેન કેસાભાઇ પરમાર, પારૂબેન રામાભાઇ પરમાર, શાંતાબેન રામાભાઇ પરમાર અને અંબાબેન મનજીભાઇ પરમાર ઉશ્કેરાઇ ગયા હતા.

 જેમણે શાંતાબેન પરમારને ગડદાપાટુનો મારમારી ઇજા કરી હતી. આ અંગે અભાભાઇ બાબુભાઇ પરમારે ચારેય સામે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.