પાટડી તાલુકાના ચાર પદયાત્રીકોને કારચાલકે હડફેટે લેતાં અફડા-તફડી મચી ગઈ હતી. ગંભીર અક્માતમાં ઈજા પામેલા ચારેય પદયાત્રીકોને તુરંત સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. દ્વારકા ખાતે કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે સંઘમાં નીકળેલા.સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મીઠાભાઈ હરિભાઈ આલ નામના 39 વર્ષના રબારી યુવાન તથા તેમની સાથે જઈ રહેલા જુદા જુદા ત્રણ ગામોના પદયાત્રીકો ગઈકાલે ગુરુવારે સાંજના સમયે દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર મૂળવાનાથની જગ્યા પાસે પહોંચ્યા હતા. અચાનક અહીં પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા આઈ-20 મોટરકારના ચાલકે તેઓને અડફેટે લેતા અફડા-તફડી મચી ગઈ હતી.આ ટક્કરમાં રઘુભાઈ વળાભાઈ ભુંગોર, વીરાભાઈ ગણેશભાઈ આલ, નરસંગભાઈ ભગવાનભાઈ ભુંગોર અને ધીરુભાઈ દેવાભાઈ ઠાકોરને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે મીઠાભાઈ રબારીની ફરિયાદ પરથી આઈ-20 કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લાદીઓ તૂટતા પસાર થવું મુશ્કેલ 18 11 2022
PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લાદીઓ તૂટતા પસાર થવું મુશ્કેલ 18 11 2022
પાલનપુરની લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલમાં આદ્યશક્તિ માં જગદંબાના નવલા નોરતાની રંગે ચંગે ઉજવણી...
હાલોલ તાલુકાના કડાચલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દેશના નાગરિકો...
चारधाम यात्रा में नहीं आएगी कोई रुकावट, गडकरी बोले; ऑल वेदर रोड का 601 किलोमीटर निर्माण कार्य हुआ पूरा
नई दिल्ली, केंद्रीय सड़क परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरी ने बुधवार को राज्यसभा में कहा कि...
રમાબાઈ આંબેડકરજી ની જન્મ જયંતી નિમિતે કાલોલ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
ત્યાગ અને બલિદાનની પ્રેરણામૂર્તિ માતા રમાબાઈ
આંબેડકરજી ની જન્મ જયંતી પર પંચમહાલ જિલ્લાના કાલોલ...