સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણના અધ્યક્ષસ્થાને ચોટીલા તાલુકાના સાંગાણી ગામની પ્રાથમિક શાળા ખાતે ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, છેવાડાનાં લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચે તે માટે સરકાર કટીબદ્ધ છે. ધારાસભ્યે લોકોને આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓના લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’- રથ નંબર -5 ને ધારાસભ્યશ્રી શામજીભાઇ ચૌહાણે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ બાલિકાઓએ કુમકુમ તિલક કરી રથનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કર્યું હતું.નોંધનીય છે કે, મહાનુભાવોના હસ્તે સરપંચ તેમજ ઉપસરપંચે સાંગાણી ગ્રામ પંચાયત દ્વારા લેન્ડ રેકોર્ડનું 100% ડિઝીટાઇઝેશન કરવાની સિદ્ધિ માટે સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા તેમજ આયુષ્માન કાર્ડ અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ મહાનુભાવોના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. અંતમાં ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પેટલાદમાં રખડતા પશુથી નાના મોટા અકસ્માત.
પેટલાદના શહેરી વિસ્તારમાં રખડતા પશુઓથી નાના-મોટા અકસ્માતો થતા રહે છે. ત્યારે શહેરના આંબેડકર ચોક...
Poco F6: 50MP कैमरा से लैस दमदार पोको फोन आज होगा लॉन्च, ऐसी होंगी खूबियां
पोको अपने ग्राहकों के लिए आज एक नया फोन Poco F6 लॉन्च कर रहा है। इस फोन आज यानी 23 मई 2024 को शाम...
Breaking News: Uttarakhand की कैबिनेट मंत्री ने दर्ज करवाई शिकायत, धोखाधड़ी के खिलाफ दर्ज की FIR
Breaking News: Uttarakhand की कैबिनेट मंत्री ने दर्ज करवाई शिकायत, धोखाधड़ी के खिलाफ दर्ज की FIR
अमरावती ग्रामीण पोलीस अधीक्षक यांनी केला अधिकारी यांचा सत्कार
अमरावती जिल्ह्यातील अचलपूर परतवाडा चांदुर बाजार हे डिव्हिजन मध्य प्रदेश राज्याच्या सीमेलगत असून...
હર ઘર તિરંગાઃ PM મોદીના માતા હીરાબાએ કરી ઉજવણી, બાળકોને આપ્યા રાષ્ટ્ર ધ્વજ
PM મોદીના માતા હીરાબાએ હર ઘર તિંરગા અભિયાનની ઉજવણી કરીહીરાબાએ ગાંધીનગરમાં બાળકોને તિરંગા વહેંચ્યા...