પાલનપુર સલેમપુરા અંબર સોસાયટીમાં રહેતો પરિવાર રવિવારે રાત્રે રિક્ષામાં છાપીની હોટલમાં જમવા માટે જઇ રહ્યો હતો. ત્યારે કાણોદર નજીક પાછળથી આવેલા લકઝરી બસના ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં ઘરના મોભી રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતુ. પરિવારના અન્ય સદસ્યોનો બચાવ થયો હતો.આ અંગે લકઝરી બસના ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુર સલેમપુરા દરવાજા બહાર અંબર સોસાયટીમાં રહેતા મહંમદ મોઇન તેમના પિતા સાજીદ મહંમદ શેખ, માતા રિજવાનાબાનુ, બહેનો ફીજાબાનુ અને અલમીરાબાનુ સાથે રિક્ષા નં. જીજે. 08. એ.ટી. 2281માં છાપીની હોટલમાં જમવા નીકળ્યા હતા. દરમિયાન કાણોદર નજીક પાછળથી આવેલી લકઝરી બસ નં. એ. આર. 01. આર. 0549ના ચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. જેમાં સાજીદમહંમદ સત્તારભાઇ શેખ (ઉ.વ. 47)ના માથામાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મોત થયું હતુ. જ્યારે પરિવારના અન્ય સદસ્યોનો બચાવ થયો હતો. આ અંગે મહંમદ મોઇન શેખએ લકઝરી બસના ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે તપાસ હાથ ધરી છે.