સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનાના પોલિસ મથકમા ફરજ બજાવતા કેન્સર પીડિત ગંભીરસિંહ નાથભા કાંઠીયાના પરિવારને દિપાવલી પર્વની શુભ કામના આપવા માટે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ગિરીશભાઈ પંડ્યા વઢવાણ ખાતે પહોંચ્યા હતા. અને ગંભીરસિંહ નાથભા કાંઠીયા પરિવારને દિપાવલી પર્વની અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ તકે વઢવાણ પી.એસ.આઇ ચંદ્રકાબેન એરવાડીયા સહિત સુરેન્દ્રનગર એલસીબી ટીમ હાજર રહી શુભકામનાઓ પાઠવી હતી.આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાએ જણાવ્યું કે, ગંભીરસિંહની તબિયત થોડી ખરાબ રહે છે. આથી દિવાળીમાં એમના પરિવાર, એમના સંતાનો અને એમની તબિયતની ખબર પૂછી એમણે દિવાળીની શુભેચ્છા આપવા માટે અમે આવ્યા હતા. અમારા ડીજીપી પણ ઈચ્છે છે કે, પોલીસ પરિવારના તમામ સભ્યો છે, એમને કોઈ મુશ્કેલી હોય એમાં જિલ્લાના પોલીસ વડા તરીકે એમની કાળજી લેવી જોઈએ એના ભાગરૂપે આજે આ તહેવારો છે, એમના પરિવારને મળીને દિવાળી શુભેચ્છા આપવામાં આવી હતી.