સુડવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા અને ભંગારની ફેરી કરતા યુવાને 4 શખ્સો પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા હતાં જેની પઠાણી ઉઘરાણીથી કંટાળેલા યુવાને એસીડ પી લેતા યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને 4 શખ્સો સામે બિ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.વઢવાણ સુડવેલ વિસ્તારમાં રહેતા રહિમભાઇ સીકુરભાઇ પઠાણ ભંગારની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રહિમભાઇને આર્થિક જરૂરિયાત ઉભી થતાં છેલ્લા દોઢ વર્ષમાં અલગ અલગ 4 શખ્સો પાસેથી 20 ટકા અને તેથી વધુ ઉંચા વ્યાજે કુલ રૂા.3.75 લાખ વ્યાજે લીધા હતાં. આ રૂપિયાની ઉઘરાણી મામલે ઇમ્તીયાઝભાઇ દિવાન, જાઇદ હાસમશા દિવાન, ઘનશ્યામસિંહ મોરી અને ટુકી મહેબુબાઇ ચારેય શખ્સો રૂપિયાની ઉઘરાણી મામલે અવારનવાર રહિમભાઇના ઘરે જઇ આપી માનસિક ત્રાસ આપી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતાં.આથી ચારેય શખ્સોના ત્રાસથી કંટાળી એસીડની બોટલ લઇ ભોગાવો નદીનાં કાંઠે જઇ એસીડ પી લેતા બેભાન થઇ ગયાં હતાં ત્યાર બાદ આ અંગે પરિવારજનોને જાણ થતાં રહિમભાઇને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં.આ બનાવ અંગે ભોગ બનનારે ચારેય શખ્સો વિરૂધ્ધ બિ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા બિ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
छोटे व मझोले शहरों में बढ़ेगा CNG का दायरा, 2030 तक खुलेंगे 17,500 सीएनजी स्टेशन
अभी देश में सीएनजी स्टेशनों की संख्या 7000 के करीब है जिसमें से 80 फीसद महानगरों व बड़ी...
शहरानजीक मिरजोळे येथील जंगलात कुजलेल्या अवस्थेत सापडला मृतदेह
रत्नागिरी : रत्नागिरी शहरालगत असलेल्या मिरजोळे घवाळीवाडी येथील जंगलमय भागात आज सकाळी कुजलेल्या...
গৰুগাড়ী, গেছ চিলিণ্ডাৰ লৈ বিজেপি চৰকাৰৰ বিৰুদ্ধে কংগ্ৰেছৰ অভিনৱ প্ৰতিবাদ
গৰুগাড়ী , গেছ চিলিণ্ডাৰ লৈ বিজেপি চৰকাৰৰ বিৰুদ্ধে দলংঘাট ব্লক কংগ্ৰেছৰ অভিনৱ প্ৰতিবাদ।
ડીસામાં ખુલ્લી ગટરમાં ગાય પડતાં મોતને ભેટી
ડીસાના તેરમીનાળા વિસ્તારમાં ખુલ્લી ગટરના નાળામાં પડી જવાથી ગાયનું મોત નીપજ્યું હતું. બે દિવસથી...
બિપોરજોય વાવાઝોડાની અસરથી વલસાડ તિથલ દરિયો થયો તોફાની,
બિપોરજોય વાવાઝોડાની અસરથી વલસાડ તિથલ દરિયો થયો તોફાની,