સુડવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા અને ભંગારની ફેરી કરતા યુવાને 4 શખ્સો પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા હતાં જેની પઠાણી ઉઘરાણીથી કંટાળેલા યુવાને એસીડ પી લેતા યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને 4 શખ્સો સામે બિ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.વઢવાણ સુડવેલ વિસ્તારમાં રહેતા રહિમભાઇ સીકુરભાઇ પઠાણ ભંગારની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રહિમભાઇને આર્થિક જરૂરિયાત ઉભી થતાં છેલ્લા દોઢ વર્ષમાં અલગ અલગ 4 શખ્સો પાસેથી 20 ટકા અને તેથી વધુ ઉંચા વ્યાજે કુલ રૂા.3.75 લાખ વ્યાજે લીધા હતાં. આ રૂપિયાની ઉઘરાણી મામલે ઇમ્તીયાઝભાઇ દિવાન, જાઇદ હાસમશા દિવાન, ઘનશ્યામસિંહ મોરી અને ટુકી મહેબુબાઇ ચારેય શખ્સો રૂપિયાની ઉઘરાણી મામલે અવારનવાર રહિમભાઇના ઘરે જઇ આપી માનસિક ત્રાસ આપી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતાં.આથી ચારેય શખ્સોના ત્રાસથી કંટાળી એસીડની બોટલ લઇ ભોગાવો નદીનાં કાંઠે જઇ એસીડ પી લેતા બેભાન થઇ ગયાં હતાં ત્યાર બાદ આ અંગે પરિવારજનોને જાણ થતાં રહિમભાઇને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં.આ બનાવ અંગે ભોગ બનનારે ચારેય શખ્સો વિરૂધ્ધ બિ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા બિ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડોકટર કુંજલ ત્રિવેદી દ્વારા શંખેશ્વર શિવાલયમાં ભાજપની વિધાનસભામા જંગી બહુમતીથી વિજયી માટે લઘુરુદ્ર
ડોકટર કુંજલ ત્રિવેદી દ્વારા શંખેશ્વર શિવાલયમાં ભાજપની વિધાનસભામા જંગી બહુમતીથી વિજયી માટે લઘુરુદ્ર
চাপৰমুখ মাৰৱাৰী পট্টি অগ্নি কাণ্ডত ক্ষতিগ্ৰস্ত পৰিয়ালৰ ওচৰত বিজেপি এচ চি মোৰ্চাৰ ৰাজ্যিক সম্পাদক ড° অসীম কুমাৰ দাস।
ৰহাৰ চাপৰমুখ মাৰবাৰী পট্টিত যোবা ২৩ডিচেম্বৰত সংঘটিত হোবা বিধ্বংসী অগ্নি কাণ্ডত সৰ্বস্ত্ৰ হেৰোৱা...
গহপুৰত অসমৰ মুখ্যমন্ত্ৰী ড০ হিমন্ত বিশ্ব শৰ্মা । ঘোষণা অৰুণোদয় ধন বৃদ্ধি
গহপুৰত উপস্থিত মুখ্যমন্ত্ৰী ড০ হিমন্ত বিশ্ব শৰ্মা :: অৰুণোদয় ধন বৃদ্ধি মুখ্যমন্ত্ৰী ঘোষণা ।...
રૂ.૬.૧૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૩૭ વિકાસ કાર્યોનું લોકાર્પણ જ્યારે રૂ.૪.૯ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૨૨૯ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયુ
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે સ્વામી વિવેકાનંદ ટાઉનહોલમાં ઇડર ધારાસભ્યશ્રી...
Vijapur Referral Hospital ખાતે Dialysis Center નું લોકાર્પણ
વિજાપુર રેફરલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ (Dialysis Center) સેન્ટરનું લોકાર્પણ કરાયું
વિજાપુર...