નવરાત્રિ ના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ભક્તો ની મોટી ભીડ માતાજીના દર્શન માટે ઉમટી પડી હતી ત્યારે મધ્યપ્રદેશ ના એક શ્રદ્ધાળુ પાવાગઢ ખાતે આવેલા અને એકાએક તેઓનુ ઓક્સીજન લેવલ ઘટી જતા બેભાન થઈ ગયા હતા ત્યારે મંદીર ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક પ્રાથમિક સારવાર માટે ખડી કરાયેલ ડોકટરો ની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરતા શ્રદ્ધાળુ ની તબીયત સ્થીર થવા પામી હતી ડોકટરો ની ટીમમા કાલોલ ના ડોકટર સુનીલ પરમાર તેમજ ડૉ પ્રતીક અને ડો ધર્મેન્દ્ર દ્વારા ઈમરજન્સી સારવાર આપવામા આવી હતી.