પત્ની થી છુટકારો મેળવવા પિતાએ ત્રણ વર્ષના પુત્રની કેનાલમાં ફેકી હત્યા કરી.....

 

ત્રણ દિવસ પછી માસુમ બાળકની લાશ મળી....

 

પાટણ જિલ્લાના ધાયણોજ ગામના નરાધમ પિતાએ પોતાની પત્ની સાથે મનમેળ ન આવતા પોતાના ત્રણ વર્ષના પુત્રને કેનાલમાં ફેંકી દીધો ત્રણ દિવસ બાદ પુત્રની લાશ થરાદના રડકા ગામ પાસેથી મળી આ અંગે પત્નીએ હત્યારા પતિ સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ....

 

 

શું છે સમગ્ર મામલો આવો જાણીએ.....

 

 

કાંકરેજ તાલુકાના નેકોઈ ગામના ભગવતીબેન ઉર્ફ ભગીબેન તળજાભાઇ રબારી ના લગ્ન સામાજિક રીત રિવાજ મુજબ પાટણ જિલ્લાના ધાયણોજ ગામના શૈલેષ કરમશી રબારી સાથે થયા હતા અને 28 સપ્ટેમ્બર 2023 ના રોજ શૈલેષ રબારી નેકોઈ ગામે તેમની પત્ની અને પુત્રને લેવા માટે આવ્યો હતો અને બાઇક નંબર GJ 24 એજે 9216 ઉપર ધાયણોજ જવા નીકળ્યા હતા તે સમયે રસ્તામાં પત્નીને કહ્યું કે તું શાકભાજી લઈ લે હું મોબાઈલ સરખો કરાવી આવું છું તેવું કહી તેના ત્રણ વર્ષના માસુમ બાળક નીશુલ ઉર્ફ નીશુને બાઇકમાં બેસાડીને લઈને જતો રહ્યો હતો અને કેનાલમાં ફેકી હત્યા કરી દીધી હતી જેનો મૃતદેહ ત્રણ દિવસ પછી રવિવારે થરાદના રડકા ગામની નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો જે મૃતદેહને થરાદની હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો હતો અને આ અંગે ભગવતી બેને તેમના પુત્રના હત્યારા પતિ સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસો માં હત્યાનો ભેદ ઉકેલી આરોપી શૈલેષ રબારી ને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.....