ડીસાથી માઉન્ટ આબુ ખાતે બિરાજમાન રાજ રાજેશ્વરી અધ્ધરદેવી અર્બુદા માતાજીના સાનિધ્યમાં ડીસાથી બનાસકાંઠા જીલ્લા માળી સમાજના પરમાર પરિવારના લોકોએ પગપાળા યાત્રા સંઘમાં જોડાઇ અને સંઘને પ્રસ્થાન કરાવ્યું હતું.

અર્બુદા માતાજીએ માઉન્ટ આબુ ખાતે બિરાજમાન અધ્ધરદેવી તરીકે ઓળખાય છે અને અનેક કુળના લોકોની કુળદેવી તરીકે બિરાજમાન છે. ત્યારે માળી સમાજના પરમાર પરિવારના કુળની દેવી અધ્ધરદેવી અર્બુદા માતા પણ પોતાની કુળદેવી માને છે. ત્યારે આ સંઘનું પ્રસ્થાન 2015 માં પહેલું પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે રેવાજી પુનમાજી મગનાજી પરમાર (સંઘવી પરિવાર) વાસણા ગોળીયાવાળા તરફથી આ સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે બીજા વર્ષે પરમાર પરિવારના લોકો આ સંઘમાં જોડાઇ અને યોગદાન આપ્યું હતું અને પછી ધીમે ધીમે બનાસકાંઠા જીલ્લાના માળી સમાજના પરમાર પરિવારના લોકો દૂરદૂરથી આવી આ સંઘમાં જોડાયા હતા. ત્યારે આ વર્ષે આ સંઘ 9 માં વર્ષમાં પ્રવેશ કરે છે અને નવમી પગપાળા યાત્રા યોજાઇ હતી.

વિશાળ સંખ્યામાં 3000 ભાવિક ભકતો પગપાળા યાત્રામાં જોડાયા હતા. અર્બુદા માતાજી પગપાળા યાત્રા સંઘના પ્રમુખ શિવાજી સોનાજી પરમારના નિવાસસ્થાનેથી માતાજીના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે પ્રસ્થાન પ્રારંભે ડીસાના લોકલાડીલા પાણીદાર ધારાસભ્ય પ્રવિણભાઇ માળી, બનાસકાંઠા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનલાલ માળી અને સમાજના અનેક આગેવાનો સાથે કમિટી સભ્ય નવિનભાઇ રેવાજી પરમાર, રમેશભાઇ ભુરાજી પરમાર, પરેશભાઇ ખેંગારજી પરમાર, રમેશભાઇ પ્રતાપજી પરમાર, પ્રેમભાઇ દાંનાજી પરમાર, દિનેશભાઇ ખેતાજી પરમાર, ગીરધારજી પરમાર અને દીપકભાઇ કનુભાઇ પરમારે સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું.

જ્યારે ડી.જે.ના તાલે લોકો જોડાઇ માતાજીના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ સંઘમાં પરિવાર સાથેના લોકો હોય દિવસે ચાલવાનો અને રાત્રે સંપૂર્ણ આરામ અને ભજન કીર્તન કરશે અને ચાર દિવસે એટલે કે તા. 22-09-2023 ના રોજ સાંજે 3:00 વાગ્યે માઉન્ટ આબુ ખાતે રાજપૂત ધર્મશાળા પહોંચી રાત્રિ ભોજન લઇ અને ભવ્ય લોક ડાયરો પણ રાખેલ હોઇ લોકો લોક ડાયરામાં પધારી ડાયરાની રમઝટ પણ માણશે. જ્યારે બીજા દિવસે માતાજીના મંદિરના પ્રાંગણમાં યજ્ઞ રાખેલ હોય સર્વ ભક્તો યજ્ઞમાં જોડાશે અને મહાપ્રસાદ લઇ છુટા પડશે.