ધ્રાંગધ્રા શહેરમાં ગઈકાલે રાજકમલ ચોક નજીક ભરબજારે ધોળા દિવસે ઘાતકી હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં ધ્રાંગધ્રા શહેરની માનમહેલાત સામે રહેતા મહમદકેફ રમજાનભાઈ કુરેશીને બે દિવસ અગાઉ પોતાના ઘર નજીક સામાન્ય માથાકૂટ થઇ હતી. જેનું મનદુઃખ રાખીને ધ્રાંગધ્રાના જ તૌફીકભાઈ કાદરભાઈ વડાવરીયા નામના યુવાને ભરબજારે ધોળા દિવસે મહમદકેફ રમજાનભાઈ કુરેશી ( ઉંમર 19 વર્ષ )ને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.ધ્રાંગધ્રા શહેરમાં ભર બજારે યુવાનની છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યાની ઘટનાથી સોપો પડી ગયો હતો. જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ મૃતક મહમદકેફ કુરેશીની લાશને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી હત્યારાઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પી.આઈ. જે.એસ.ઝાંબરે સહિતના પોલીસ સ્ટાફે આ કેસના હત્યારા આરોપી તૌફીકભાઈ કાદરભાઈ વડાવરીયાને ગણતરીના કલાકોમાં ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ग्रामीण विकासासाठी स्वाभिमानी शेतकरी संघटनेचे कुलदीप करपे यांची मंत्री कपिल पाटील यांच्याकडे मागणी
ग्रामीण विकासासाठी स्वाभिमानी शेतकरी संघटनेचे कुलदीप करपे यांची मंत्री कपिल पाटील यांच्याकडे मागणी
আমছুৰ আলোচনা চক্ৰত বিশিষ্ট চিকিত্সক ডাঃ নৱনীল বৰুৱাৰ গুৰুত্বপূৰ্ণ ভাষণ | AAMSU | Dr Nabanil Baruah
আমছুৰ আলোচনা চক্ৰত বিশিষ্ট চিকিত্সক ডাঃ নৱনীল বৰুৱাৰ গুৰুত্বপূৰ্ণ ভাষণ | AAMSU | Dr Nabanil Baruah
Ramesh Bidhuri के बयान पर Asaduddin Owaisi ने BJP को घेरा, देखें क्या कहा | BJP | Latest News
Ramesh Bidhuri के बयान पर Asaduddin Owaisi ने BJP को घेरा, देखें क्या कहा | BJP | Latest News
(ટી.બી વિભાગના)ગુજરાત આર એન ટી.સી.પી કરારબધ્ધ કર્મચારીઓ હડતાલ પર
(ટી.બી વિભાગના)ગુજરાત આર એન ટી.સી.પી કરારબધ્ધ કર્મચારીઓ હડતાલ પર