સાવરકુંડલા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોને નિમણૂક કરાઈ સાવરકુંડલા નગરપાલિકા ના પ્રમુખપદે મેહુલભાઈ ત્રિવેદી ની વરણી કરાઇ છે.

ઉપપ્રમુખ તરીકે પ્રતિકભાઇ નાકરાણી તથા કારોબારી ચેરમેન પદે અશોકભાઈ ચૌહાણ ની નિમણુંક કરાઇ છે. તેમજ પક્ષના નેતા તરીકે જનકબેન આલ અને દંડક તરીકે અજયભાઈ ખુમાણ ની નિમણૂકિ કરાઈ છે

સાવરકુંડલા નગરપાલિકામાં શાસક પક્ષ તરીકે સંપૂર્ણ ભાજપાનીબહુમત ધરાવતી સાવરકુંડલા નગરપાલિકાનાં પ્રમુખ- ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન સહિતનાં હોદેદારોની અઢી વર્ષની ટર્મ પુરી થતા સાવરકુંડલાનગરપાલિકામાં નવનિયુકત હોદેદારોની નિમણુંક માટેની સાધારણ સભા પ્રાંત અધિકારીશ્રી ના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાખડમાં મળેલ હતી.

 જેમાંથી ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા અપાયેલ મેન્ડેટ મુજબ બાકીના અઢી વર્ષની ટર્મમાં નવા વરાયેલા હોદેદારોનું ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદાર શ્રીઓ તેમજ સાવરકુંડલા શહેરીજનો દ્વારા સન્માનિત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતાં.

રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા