દસાડામાં ધોળા દિવસે રૂ. 80,000ની સોનાની ચેનની લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા પોલીસ મથકે ત્રણ શખશો સામે લૂંટ કરી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ માંડલના કાંતિભાઈ છનાભાઈ ગમારા ( ભરવાડ ) દ્વારા દસાડા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ દસાડા ખાતે આવેલી ગોપાલ હોટલમાં દસાડા ગામના સહેજાદશા સલીમશા દિવાન, લુકમાન ઉર્ફે બાદશાહ યુસુફભાઇ કુરેશી અને ઇમરાનખાન મહંમદખાન પઠાણ દ્વારા સિગારેટ લઈ અને જતા હતા. તે દરમ્યાન હોટલના કાઉન્ટર પર તૈનાત સતીષસિંહે એમની પાસેથી સિગારેટના પૈસા માંગતા આરોપીઓ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી હોટલના કાઉન્ટર પર બેઠેલા અતુલસિંહે ગાળો બોલવાની ના પાડતા તેને પકડી આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. અને સાથે આવેલા ઇમરાનખાન મહંમદખાન પઠાણ દ્વારા ચપ્પુ કાઢી અને હુમલો કરવા આવ્યો હતો. બાદમા કાઉન્ટર પર ફરજ બજાવતા કાંતિભાઈ છનાભાઈ ગમારા ( ભરવાડ )ના ગળામાંથી પહેરેલો સોનાનો ચેઇન રૂ.80,000ની કિંમતનો કાઢી લઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં કાંતિભાઈ ગમારા દ્વારા ઉપરોક્ત ત્રણેય શખ્સો વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ દસાડા પોલીસ મથકના પી.એસ.આઈ.- વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપ લોકશાહીની હત્યા કરીને ફરીથી દેશને ગુલામ રાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યું છે: ઈસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે...
ભારત દેશના ગૃહ મંત્રી અમિત શાહ નું આવતીકાલે ડીસા ખાતે આગમન
સમગ્ર ગુજરાતમાં ચૂંટણી જોર પકડી લીધું છે ત્યારે સમગ્ર ભારત દેશમાંથી દરેક વિધાનસભા ઉપર દરેક પક્ષના...
અમરેલી જિલ્લાના બગસરા મા હળવો કમોસમી વરસાદ પડ્યો.
જિલ્લામા વાતાવરણમા આજે અચાનક બપલટો જોવા મળ્યો હતો . આકાશમા આછા વરસાદી વાદળો છવાવાની સાથે...
शिरुर तालुक्यातील सैनिकांच्या कुटूंबासोबत दिवाळी सन्मान सोहळा साजरा
शिरुर: आपल्या देशाचे सैनिक हे जिवावर उदार होऊन मृत्यूची कसलीही तमा न बाळगता सीमेवर डोळ्यात तेल...
ડહેલી ખાતે નિર્માણ થનારા 66 KV સબ સ્ટેશનનું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન
ડહેલી ખાતે નિર્માણ થનારા 66 KV સબ સ્ટેશનનું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન