દસાડામાં ધોળા દિવસે રૂ. 80,000ની સોનાની ચેનની લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા પોલીસ મથકે ત્રણ શખશો સામે લૂંટ કરી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ માંડલના કાંતિભાઈ છનાભાઈ ગમારા ( ભરવાડ ) દ્વારા દસાડા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ દસાડા ખાતે આવેલી ગોપાલ હોટલમાં દસાડા ગામના સહેજાદશા સલીમશા દિવાન, લુકમાન ઉર્ફે બાદશાહ યુસુફભાઇ કુરેશી અને ઇમરાનખાન મહંમદખાન પઠાણ દ્વારા સિગારેટ લઈ અને જતા હતા. તે દરમ્યાન હોટલના કાઉન્ટર પર તૈનાત સતીષસિંહે એમની પાસેથી સિગારેટના પૈસા માંગતા આરોપીઓ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી હોટલના કાઉન્ટર પર બેઠેલા અતુલસિંહે ગાળો બોલવાની ના પાડતા તેને પકડી આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. અને સાથે આવેલા ઇમરાનખાન મહંમદખાન પઠાણ દ્વારા ચપ્પુ કાઢી અને હુમલો કરવા આવ્યો હતો. બાદમા કાઉન્ટર પર ફરજ બજાવતા કાંતિભાઈ છનાભાઈ ગમારા ( ભરવાડ )ના ગળામાંથી પહેરેલો સોનાનો ચેઇન રૂ.80,000ની કિંમતનો કાઢી લઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં કાંતિભાઈ ગમારા દ્વારા ઉપરોક્ત ત્રણેય શખ્સો વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ દસાડા પોલીસ મથકના પી.એસ.આઈ.- વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ડીસામાં ખેડૂત પાસેથી બટાકા લઇ રૂપિયા ન આપનાર વેપારીને એક વર્ષની કેદની સજાનો હુકમ ફટકાર્યો 
 
                      ડીસા તાલુકાના કણજરા ગામના ખેડૂત પાસેથી બટાકા ખરીદીને પેમેન્ટ ન ચૂકવતા તે પેટે આપેલો ચેક રીટર્ન...
                  
   અવર વડોદરા દ્વારા રાત્રી બીફોર નવરાત્રીનું આયોજન 2022 | Spark Today News Vadodara 
 
                      અવર વડોદરા દ્વારા રાત્રી બીફોર નવરાત્રીનું આયોજન 2022 | Spark Today News Vadodara
                  
   रात्रीचा सुमारास दुचाकी पाळविणारा अटकेत ,11 गाड्या हस्तगत  
 
                      परजिल्ह्यातीलही दुचाकी गाड्या चोरायचा 
 
सोलापूर :- सोलापुरसह परजिल्ह्यातील दुचाकी...
                  
   आरबीआई और भारत के प्रधानमंत्री देश के तीन सबसे भरोसेमंद संस्थान हैं 
 
                      एक सर्वे के मुताबिक रक्षा बल, आरबीआई और भारत के प्रधानमंत्री देश के तीन सबसे भरोसेमंद संस्थान...
                  
   ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ચાર એમ્બ્યુલન્સ વાનનુ લોકાર્પણ. 
 
                      ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ચાર એમ્બ્યુલન્સ વાનનુ લોકાર્પણ.
                  
   
  
  
  
   
  