દસાડામાં ધોળા દિવસે રૂ. 80,000ની સોનાની ચેનની લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા પોલીસ મથકે ત્રણ શખશો સામે લૂંટ કરી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ માંડલના કાંતિભાઈ છનાભાઈ ગમારા ( ભરવાડ ) દ્વારા દસાડા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ દસાડા ખાતે આવેલી ગોપાલ હોટલમાં દસાડા ગામના સહેજાદશા સલીમશા દિવાન, લુકમાન ઉર્ફે બાદશાહ યુસુફભાઇ કુરેશી અને ઇમરાનખાન મહંમદખાન પઠાણ દ્વારા સિગારેટ લઈ અને જતા હતા. તે દરમ્યાન હોટલના કાઉન્ટર પર તૈનાત સતીષસિંહે એમની પાસેથી સિગારેટના પૈસા માંગતા આરોપીઓ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી હોટલના કાઉન્ટર પર બેઠેલા અતુલસિંહે ગાળો બોલવાની ના પાડતા તેને પકડી આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. અને સાથે આવેલા ઇમરાનખાન મહંમદખાન પઠાણ દ્વારા ચપ્પુ કાઢી અને હુમલો કરવા આવ્યો હતો. બાદમા કાઉન્ટર પર ફરજ બજાવતા કાંતિભાઈ છનાભાઈ ગમારા ( ભરવાડ )ના ગળામાંથી પહેરેલો સોનાનો ચેઇન રૂ.80,000ની કિંમતનો કાઢી લઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં કાંતિભાઈ ગમારા દ્વારા ઉપરોક્ત ત્રણેય શખ્સો વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ દસાડા પોલીસ મથકના પી.એસ.આઈ.- વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শ্ৰীৰাম ভকতিদুৱাৰ আঞ্চলিক ধৰ্মালোচনী সভাৰ গুৰুজনাৰ আৰ্বিভাৱ তিথি ৰ আয়োজন
শ্ৰীৰাম ভকতিদুৱাৰ আঞ্চলিক ধৰ্মালোচনী সভাৰ সৌজন্যত ৰাঙলীবাহাৰত শংকৰদেৱৰ আৰ্বিভাৱ তাথিৰ আয়োজন :...
अलोद में मिलावटी गुड़ पर बड़ी कार्रवाई, कई कारोबारी ताले लगाकर हुए भुमिगत
बूंदी। शुद्ध आहार मिलावट पर वार अभियान के तहत मंगलवार को खाद सुरक्षा विभाग की टीम ने सीएमएचओ डॉ....
आसियान शिखर सम्मेलन के लिए रवाना होते हुए पीएम मोदी,रवानगी से पहले दिया बड़ा बयान
प्रधानमंत्री नरेंद्र मोदी ने गुरुवार को कहा कि पूर्वी एशिया शिखर सम्मेलन हिंद-प्रशांत क्षेत्र में...
Amol Kolhe on CM Eknath Shinde | एकनाथ शिंदे यांच्या प्रश्नावर अमोल कोल्हे यांची प्रतिक्रिया
Amol Kolhe on CM Eknath Shinde | एकनाथ शिंदे यांच्या प्रश्नावर अमोल कोल्हे यांची प्रतिक्रिया