આજરોલી નર્મદા વસાહત કેનાલ સાફ ન કરાતા ખેડૂતો પરેશાન

ઠાસરા તાલુકામાં આવેલ વજેવાડ માઇનોર શાખા આજરોલી નર્મદા વસાહત કેનાલ આવેલી છે જેના પાણી દ્વારા 4 કિલોમીટરના વિસ્તારમાં ખેતી કરીને ખેડૂતો જીવન જીવતા હોય છે આ માઇનોર કેનાલમાં છેલ્લા ત્રણ વર્ષથી પણ વધારે સમયથી ઝાડીઓ ઘાસ ઊગી નિકળવાથી ખેડૂતો સુધી આ માઇનોર કેનલનું પાણી પહોંચતું નથી જેથી પાણી ન મળતા ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખેડૂતો દ્વારા રજુઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતા 3 દિવસથી 100 વધુ ખેડૂતો એકત્ર થઈને માઇનોર કેનાલમાં ઊગી નીકળેલ ઘાસ અને ઝાડીઓ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જેથી લગતા વળગતા તંત્રને ખેડૂતોની માંગ ઉઠી છે કે સત્વરે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે નહિ તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Riporter saiyad Anwar