થરાદ ખાતે મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા મામલતદાર દિલીપભાઈ દરજી ની વય નિવૃતી થતાં મામલતદાર કચેરી દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ, થરાદ પ્રાંત અધિકારી કે એસ ડાભી,વાવ મામલતદાર વાધેલાજી ,ડી ડી રાજપૂત, માવજીભાઈ પટેલ, જીવરાજ બા, આંબા ભાઈ સોલંકી, પથુંસિંહ રાજપુત અજયભાઈ ઓઝા હેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મામલતદારે છેલ્લા ત્રણ વર્ષ માં થરાદ તાલુકામાં કરેલા ઉમદા કાર્યો ને બિરદાવ્યા હતા અને મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા સાલ,સાકર અને નાળીયેર આપી વિદાય આપવામાં આવી હતી જેમાં સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.....