ઢાંકી ગામે મંગળવારે ઢોર ચરાવવા ગયેલા બે સગાભાઇ તલાવડીના પાણીમાં ગરકાવ થઇ જતા તેઓના મોત થયા છે. આ બનાવની જાણ થતા ગામના સરપંચ સહિત ગ્રામજનો અને બંનેના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યા રે ગામના યુવાનોના મોત થયા હતા. બીજી તરફ નાના એવા ગામમાં રક્ષાબંધન પર્વ પર જ આશાસ્પદ બે ભાઇઓના મોત થવાથી 4 બહેનો સહિત પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલો, તળાવો, નદી, નાળાઓ સહિતના સ્થળોએ ડૂબી જવાથી લોકોના મોતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. બીજી તરફ જિલ્લાના અનેક પશુપાલકો અને માલધારીઓ પશુઓને લઇને ગ્રામ્ય પંથકની સીમ વિસ્તારોમાં પશુઓને ચરાડવવા માટે લઇ જાય છે. ત્યારે લખતરના ઢાંકી ગામે બે સગાભાઈઓના પાણીમાં ડૂબવાથી મોત થયાની ઘટના બહાર આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ લખતરથી પંદરેક કી.મી. દૂર તાલુકાનું ઢાંકી ગામ આવેલું છે. બધી જગ્યાએ જેમ માલધારીઓ પોતાના માલઢોરને ચરાવવા વગડા કે સીમમાં જતા હોય છે.લખતરના ઢાંકી ગામમાં રહેતા કરણાભાઇ સભાડને સંતાનોમાં 3 દિકરા અને 4 દિકરીઓ હતી. ત્યારે મંગળવારે તેમના બે દીકરાના મોત થતા શોક ફેલાયો હતો. જ્યારે 4 બહેનોએ 3 માંથી 2 ભાઈઓને ગુમાવ્યા હતા. અને આ 4 બહેનોને એકનો એક ભાઈ રહ્યો. આમ રક્ષાબંધનના પર્વ પર જ 7 ભાઈ-બહેનોની જોડી તૂટતા ગામમાં પણ શોકનો માહોલ ફેલાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  विस्थापित हुए 57 हजार लोग 'वन नेशन वन आंगनबाड़ी' का ले रहे लाभ, स्वच्छ भारत के तहत बनाए गए 70 हजार शौचालय 
 
                      नई दिल्ली। सरकार ने वन नेशन वन आंगनबाड़ी की परियोजना लागू की है, जिसमें एक जगह से दूसरी जगह...
                  
   ઉજ્જનવાડા ગામે યુવાનનું જટકા મશીનથી કરંટ લાગતા મો****ત #sandeshnewsgujaratilive, 
 
                      ઉજ્જનવાડા ગામે યુવાનનું જટકા મશીનથી કરંટ લાગતા મો****ત #sandeshnewsgujaratilive,
                  
   সত্ৰ মহাসভাই জনাৰ্দদন দেৱ গোস্বামীৰ ওপৰত তৰিব গোচৰ 
 
                      আজিৰ দিনৰ তিনি বজাত জনাৰ্দদন দেৱ গোস্বামীৰ ওপৰত তৰিব গোচৰ সত্ৰ মহাসভাই।
                  
   દિવ્યાંગ બાળકો સાથે પતંગ મહોત્સવ ની ઉજવણી કરાઈ 
 
                      આજરોજ રિસોર્સ રૂમ સતલાસણા ખાતે દિવ્યાંગ બાળકો સાથે પતંગ મહોત્સવ ની ઉજવણી કરવા માં આવી. બાળકો ને...
                  
   PORBANDAR પોરબંદરમાં આમ આદમી પાર્ટીના અમુક કાર્યકરો ભાજપમાં જોડાયા  19 11 2022 
 
                      PORBANDAR પોરબંદરમાં આમ આદમી પાર્ટીના અમુક કાર્યકરો ભાજપમાં જોડાયા 19 11 2022
                  
   
  
  
  
   
   
  