મુળી તાલુકાના ગઢડા ગામેથી મળી આવેલી યુવાનની લાશના પ્રકરણમાં પોલીસે ચાર શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણ આરોપીને ઝડપી પાડયા છે.ગઢડા ગામે વાવા નામથી ઓળખાતી સીમમાં વેલાભાઇ ભરવાડની વાડી પાસેથી ગત તા. 26 ઓગસ્ટનાં રોજ યુવાનની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે એ.ડી. દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક ભાવેશજી ઠાકોર હોવાનું જાણવા મળ્યુ હતુ અને તેની હત્યા થઇ હોવાનું ખુલ્યુ છે.જેમાં મહેસાણાનાં વિસનગર તાલુકાના ગોઠવા ગામના શખ્સની સંબંધીની યુવતી એક દિવસ પહેલા તેમના ગામથી નાગજીભાઇ નામના શખ્સ સાથે ભાગી ગઈ હોવાથી અને તે મુળી તાલુકાનાં સડલા ગામ પાસે આવેલા રેતીનાં ચાયણે હોવાની જાણ થતા ફરિયાદી તથા અન્ય લોકો શોધવા માટે આવ્યા હતા. ત્યારે તેમની યુવતી ત્યાં હાજર હતી પણ સાથે આવવાની ના પાડતા અને બુમો પાડતા સડલાના રાહુલ ઠાકોર, ગઢડાનો દિલાભાઇ ભરવાડ, સુનિલ અને નાગજી ભરવાડ આવી ગયા હતા અને આ ચારેયે હુમલો કરતા ભાવેશજીને લાકડાના ધોકાના ઘા મારતા ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું હતુ. પોલીસે હત્યાનો ગુનો નોંધી રાહુલ ઠાકોર, દિલા ભરવાડ, અને સુનિલને ઝડપી પાડયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા મુકામે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા હનુમાનજી મંદિર, મોઢેરા ચાર રસ્તા થી ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન
મહેસાણા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો
તારીખ 12/08/22 ને શુક્રવારના રોજ
બપોરના...
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur
જેસરમાં મહાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યો
જેસરમાં મહાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યો
આ હુમલાઓ ભાજપ જ કરાવે છે@Sandesh News
આ હુમલાઓ ભાજપ જ કરાવે છે@Sandesh News
નાગલધામ ખાતે હરસુખભાઈ ડોબરીયા તેમજ મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા રીંગણીના રોપનું વાવેતર કરવામાં આવ્યું
નાગલધામ ખાતે હરસુખભાઈ ડોબરીયા તેમજ મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા રીંગણીના રોપનું વાવેતર કરવામાં આવ્યું