થરાદ શહેરમાં આવેલી આનંદનગર પ્રાથમિક શાળા થરાદ-૩ માં શાળામાં ચાલતી આંગણવાડી તથા બાલવાટીકા તથા ધોરણ ૧થી ૮ના ૮૬૫ બાળકોને પરમ પૂજ્ય સંતશ્રી નાગરવન બાપુ કરબૂણ ની પ્રેરણાથી દાતા પ્રજાપતિ જગદીશભાઇ માવાભાઇ(જામપુર વાળા) રહે થરાદ તથા પ્રજાપતી હરખાભાઇ નારણાભાઈ જામપુર તરફથી એક નવતર પ્રયોગ કરી નાના બાળકોને ખુબજ પ્રિય એવું પાઉં ભાજી નું માવા પિસ તથા છાસ સાથેનું તિથિભોજન આપવામાં આવ્યું.

શાળાના દરેક બાળકને દાતાશ્રી તરફથી એક બૉલપેન પણ ભેટ આપવામાં આવી. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મહેશભાઇ કે.મણવર તથા સ્ટાફ પરિવારે દાતાશ્રીને શાલ તથા સ્મૃતિચિહન આપી સન્માનિત કરેલ