નાના અંકેવાળીયા ગામે મારામારી થઇ હતી. આ કેસનાં આરોપીને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નાના અંકેવાળીયા ગામે થોડા દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. આ અંગે નાના અંકેવાળીયા ગામનાં મુન્નાભાઇએ લખતર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓનાં જણાવ્યા અનુસાર તેમનાં ગામનાં જ રાકેશભાઈ ગાળો બોલતા હતા. તો મુન્નાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં રાકેશભાઇએ ઉશ્કેરાઈ જઈ માર માર્યો હતો. આ અંગેની ફરિયાદ નોંધાતા લખતર પોલીસનાં જયદીપસિંહ ઝાલા અને અનિલસિંહ દ્વારા આરોપી રાકેશને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.