ઉના ભાવનગર હાઈવે પર આવેલ રામેશ્વર ગામના પાટિયા નજીક સામતેર બાયપાસના સર્વિસ રોડ પર પસાર થતા ડમ્પરના પાછળના ભાગે ફરતી લોખંડની વાળ ન રાખી બેફામ ચલાવતા હોય ત્યારે ડમ્પરમાં ભરેલા મસ મોટા પથ્થરો રાત્રિનાં સમયે રસ્તા પર પડતાં અકસ્માતની મોટી દુર્ઘટના સર્જાતી અટકી હતી. જોકે આ ઘટનાં દિવસ દરમિયાન થઇ હોત તો વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવુ પડત જોકે સોમનાથ - ભાવનગર હાઈવે પર પસાર થતા રોજીંદા હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે. અને આ ડમ્પરોમાં મોટા પથ્થરો ભરીને શાપુરજી પાલનજી તરફ જતા ડમ્પરો અનેક વાહન ચાલકોના ભોગ લે તે પહેલા તંત્ર દ્રારા તાત્કાલીક આવા વાહન ચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવા વાહન ચાલકોની માંગણી ઉઠવા પામેલ છે.