સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ ભાગ-1 અને 2ની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી. સંકલન ભાગ-1ની બેઠકમાં ધ્રાંગધ્રા તાલુકાના ઔધોગિક એકમો સાથે થયેલા MOU સંદર્ભે, તૂટી ગયેલા માર્ગોનાં સમારકામ બાબતે, ખેડૂત ખાતેદારને વીજ કનેક્શન બાબતે પડતી સમસ્યાઓ ઉપરાંત દસાડા તાલુકામા જમીન બાબતના 7/12ના પ્રશ્નો,થાનગઢ તાલુકામા જમીનના પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નો સંદર્ભે જિલ્લા કલેકટરે આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપતા નિયત સમયમર્યાદામાં પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના આપી હતી. જ્યારે સંકલન ભાગ-2ની બેઠકમાં જિલ્લા કલેકટરે સરકારી લેણાઓની બાકી વસૂલાત, ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓની અરજીઓ/પ્રશ્નો, કચેરીઓમાં થતી આર.ટી.આઈ, એ.જી.ઓડિટના બાકી પારા, નિવૃત થતા કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓના નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.આ ઉપરાંત, આગામી સમયમા જન્માષ્ટમી સહિતના મેળાઓનું આયોજન થનાર છે. ત્યારે વિવિધ વિભાગો તરફથી અપાતીઓ મંજૂરીઓ બાબતે, 'દૂધ સંજીવની યોજના'ને વધુ અસરકારક રીતે અમલી બનાવવા સહિતની બાબતો અંગે વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદર : ભાવસિંહજી સરકારી હોસ્પિટલ મા એક તબીબ નો કન્ટ્રેક્ટ રેન્યુ ન થયો , અન્ય એક એ રાજીનામું આપી
પોરબંદર : ભાવસિંહજી સરકારી હોસ્પિટલ મા એક તબીબ નો કન્ટ્રેક્ટ રેન્યુ ન થયો , અન્ય એક એ રાજીનામું આપી
महज 436 रुपये लगाकर आपको हो सकता है 2 लाख का फायदा, जानिए क्या हैं इस सरकारी योजना के लाभ
नई दिल्ली, बिजनेस डेस्क। केंद्र सरकार आमजन के कल्याण के लिए कई तरह की योजनाएं चलाती है।...
ચોમાસામાં વધે છે ડાયરિયાની સમસ્યા, તો આ વસ્તુઓનું સેવન કરો
એલર્જી, ફૂડ પોઇઝનિંગ અથવા ક્રોનિક પરિસ્થિતિઓને લીધે ઝાડા થાય છે, તે હંમેશા તમારા આહાર સાથે...
૧૫૦ કરતાં વધુ સફાઈ કામદારો સ્વચ્છતાના સેવાયજ્ઞમાં જોડાયા: પ્લાસ્ટિકમુક્ત પરિક્રમા અંતર્ગત અંબાજીમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો..
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પરિક્રમા માર્ગ અને ગબ્બર તળેટી વિસ્તારને ચોખ્ખું ચણાક...