સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તથા ગ્રામીણ વિસ્તારોમાં ચોરીના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે ખાસ કરી ઘર ફોડ ચોરી થતી હોય તેવા કિસ્સાઓ તાજેતરમાં સામે આવ્યા છે ત્યારે નવા આવેલા જિલ્લા પોલીસવડા ગીરીશભાઈ પંડ્યા દ્વારા ઘરફોડ ચોરીના બનાવો અટકાવા અને જે ઘરફોડ ચોરીના બનાવો બન્યા છે તેના આરોપીઓ ઝડપી લેવા અને ડિટેકશન કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને કડક સૂચના આપવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે રહેણાંક મકાનમાંથી તાજેતરમાં 52 તોલા સોનું અને રોકડ રકમની ઉઠાત્તરી કરી અને તસ્કરો ફરાર બન્યા હતા.ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બલદાણા ગામે લાલજીભાઈ પટેલ અને તેમના ભાઈના ઘરના તાળા તોડી અને લોકરમાં પડેલા 52 તોલા સોનાના આભૂષણો અને અન્ય 80 હજાર જેટલી રોકડ રકમ લઈ તસ્કરો ફરાર બન્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના વધતા બનાવને લઈ અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.ત્યારે બલદાણા ગામે આ પ્રકારની ઘટના બનતા સમગ્ર બલદાણામાં પણ આ મામલે રોષ ફેલાયો હતો. લાલજીભાઈ પટેલ અને તેમનો પરિવાર મકાનના છત ઉપર રાત્રી દરમિયાન સૂતો હતો તે દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને ઘરના ઓરડામાં આવેલા લોકરમાં પડેલા 52 તોલા ના આભૂષણો તેમજ 80 હજાર રોકડ રકમની ઉઠાતરી કરી તસ્કરો ફરાર બનવાની ઘટનાને સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો કામે લાગી હતી.ત્યારે આ અંગે વઢવાણ પોલીસને સફળતા મળી છે વઢવાણ પોલીસે ચોરી કરનારા બે આરોપીઓને ઝડપી લીધા છે જેમાં પૂનમ ઉર્ફે પૂનો રમેશભાઈ ઠાકોર અને અલ્પેશ કોળી દ્વારા આ ચોરીની સમગ્ર ઘટના આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલમાં બંને આરોપીઓને ઝડપી લઇ અને વઢવાણ પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ઘર-ફોડ ચોરી ડિટેકશન વઢવાણ પોલીસે કરતા આ કામગીરી જિલ્લા પોલીસવડા ગીરીશભાઈ પંડ્યા એ પણ બિરદાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  દામનગર સમસ્ત માલધારી સમાજ દ્વારા લાઠી તાલુકા મામલતદાર શ્રી જી સી પટેલ સાહેબ ને વિવિધ ૧૧ માંગો સાથે આવેદનપત્ર પાઠવ્યું 
 
                      દામનગર સમસ્ત માલધારી સમાજ દ્વારા લાઠી તાલુકા મામલતદાર શ્રી જી સી પટેલ સાહેબ ને વિવિધ ૧૧ માંગો...
                  
   Nitish Kumar के विवादित बयान पर क्या बोलीं Bansuri Swaraj, कहा- नीतीश का बयान अक्षम्य है | Aaj Tak 
 
                      Nitish Kumar के विवादित बयान पर क्या बोलीं Bansuri Swaraj, कहा- नीतीश का बयान अक्षम्य है | Aaj Tak
                  
   जमीन विवाद के चलते भतीजे को रस्सी में बांधकर चाचा एवं चाचा के परिवार ने जमकर पीटा 
 
                       
*जमीन विवाद के चलते भतीजे को रस्सी में बांधकर चाचा एवं चाचा के परिवार ने जमकर पीटा*...
                  
   अवैध हथियारों की रोकथाम हेतु बून्दी पुलिस की प्रभावी कार्यवाही             • अवैध हथियार टोपीदार बन्दुक एक नाली जप्त कर आरोपी कुरी सिंह गिरफ्तार 
 
                      जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा IPS, ने बताया की थानाधिकारी पुलिस थाना रायथल...
                  
   
  
  
  
  