સમગ્ર ભારત દેશ અત્યારે આઝાદીના અમૃત કાળમાંથી પસાર થઈ રહ્યો છે જેમાં ભારત દેશને આઝાદી મળ્યાને ૭૫ વર્ષ ઉપરાંતનો સમયગાળો પૂર્ણ થયો છે  ત્યારે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશભરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત  મેરી મિટ્ટી મેરા દેશ જેવા અનેક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં હાલમાં ચાલી રહેલા ઓગસ્ટ મહિના અંતર્ગત ૧૫ મી ઓગસ્ટના રોજ યોજાનાર આઝાદીના પાવન પર્વને અનુલક્ષીને ૭૭ માં સ્વતંત્રતા પર્વની દેશભરમાં અલગ અલગ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ રહી છે જેમાં સમગ્ર દેશમાં ભવ્ય તિરંગા યાત્રા,કળશ યાત્રા સહિતની યાત્રાઓ પગપાળા તેમજ વાહન રેલી સ્વરૂપે રંગે ચંગે યોજવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ૧૪ મી ઓગસ્ટના રોજ હાલોલ નગર ખાતે હાલોલ ભાજપા સંગઠન દ્વારા ભવ્ય તિરંગા યાત્રા હાલોલ નગરના રાજમાર્ગો પર હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત મયુરધ્વજસિંહ પરમાર સહિત હાલોલ શહેર તેમજ તાલુકા ભાજપા સંગઠનના અનેક  પદાધિકારીઓ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં યોજાઈ હતી જેમાં હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ હાલોલ વિધાનસભા ભાજપા કાર્યાલય ખાતેથી તિરંગા યાત્રાનું ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમારની આગેવાનીમાં શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય સહિતના મહાનુભવો યાત્રામાં પગપાળા હાથ કળશ સાથે તેમજ તેઓની પાછળ ભાજપા કાર્યકર મોટી સંખ્યામાં  બાઈકો સાથે રેલી સ્વરૂપે જોડાયા હતા જે રેલી વિધાનસભા કાર્યાલય ખાતેથી નીકળી કંજરી રોડ પર રહી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરી પાવાગઢ રોડ બોમ્બે હાઉસ ત્રણ રસ્તા ખાતે રહી મુખ્ય બજારમાં રહી વડોદરા રોડ પર રહીને તાલુકા પંચાયત ખાતે પહોંચી હતી જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.