હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ તિરંગા સાથે ઉપાસના સર્કલથી શરૂ થયેલી આ વિશાળ યાત્રાને કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, લિંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણ, જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ સહિતના મહાનુભાવોના હસ્તે 'વંદે માતરમ', 'ભારત માતા કી જય'ના નારાઓ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.પાંચ મણ જેટલુ વજન ધરાવતા આ તિરંગાને 500 જેટલા વિદ્યાર્થીઓ અને પોલીસના જવાનોએ હોંશે હોંશે ઉઠાવ્યો હતો. 3.5 કિમી જેટલું અંતર આવરી લેતી આ યાત્રામાં 5,000થી વધુ લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થયા હતા. તિરંગા યાત્રાનાં પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયુ હતું.યાત્રાના માર્ગ પર તેનુ સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવી, ભારત માતા કી જયના પોકારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દર થોડા અંતરે અલગ-અલગ શાળાનાં વિદ્યાર્થીઓ, નાગરિકો, વિવિધ સંસ્થાઓ આ યાત્રામાં જોડાતા જોવા મળ્યા હતા. હાથમાં તિરંગા સાથે યુવાનોએ 'વંદે માતરમ', 'ભારત માતા કી જય'ના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું. દેશભક્તિના ગીતો સાથે "મેરી મિટ્ટી, મેરા દેશ", "હર ઘર તિરંગા" અભિયાનનો સંદેશો આપતા પોસ્ટરો દ્વારા લોકજાગૃતિનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাট জিলাৰ বকিয়াল চাহ বাগিচাৰ নলাত আবদ্ধ নৱজাত হাতীপোৱালী
এক্সকেভেটৰৰ সহায়ত উদ্ধাৰ বন বিভাগৰ
৩০ জুলাই ২০২২ :::
গোলাঘাট বন সংমণ্ডলৰ অন্তৰ্গত বকিয়াল খণ্ড বন কাৰ্যালয়ৰ অধীনৰ বকিয়াল চাহ...
2025 Kawasaki Ninja 650 ग्लोबल मार्केट में हुई लॉन्च, जानिए पहले से क्या बदला
2025 Kawasaki Ninja 650 को ग्लोबल मार्केट में लॉन्च किया गया है। फीचर लिस्ट में 4.3 इंच का TFT...
દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી ટી ગોહિલ નુ નિવેદન..
દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી ટી ગોહિલ નુ નિવેદન..
131वां राष्ट्रीय दशहरा मेला- 2024: सिन्धी कार्यक्रम आज, जतिन उदासी बैंड की होंगी प्रस्तुतियां
राष्ट्रीय मेला दशहरा में सोमवार को विजयश्री रंगमंच पर शाम 8:30 बजे सिंधी कार्यक्रम आयोजित किया...
Entertainment Top News May 23: आरआरआर एक्टर रे स्टीवेन्सन का निधन, 200 करोड़ क्लब में पहुंची 'द केरल स्टोरी'
Entertainment Top News May 22: मंगलवार को आरआरआर और थॉर जैसी फिल्मों के लिए पॉपुलर एक्टर रे...