હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ તિરંગા સાથે ઉપાસના સર્કલથી શરૂ થયેલી આ વિશાળ યાત્રાને કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, લિંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણ, જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ સહિતના મહાનુભાવોના હસ્તે 'વંદે માતરમ', 'ભારત માતા કી જય'ના નારાઓ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.પાંચ મણ જેટલુ વજન ધરાવતા આ તિરંગાને 500 જેટલા વિદ્યાર્થીઓ અને પોલીસના જવાનોએ હોંશે હોંશે ઉઠાવ્યો હતો. 3.5 કિમી જેટલું અંતર આવરી લેતી આ યાત્રામાં 5,000થી વધુ લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થયા હતા. તિરંગા યાત્રાનાં પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયુ હતું.યાત્રાના માર્ગ પર તેનુ સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવી, ભારત માતા કી જયના પોકારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દર થોડા અંતરે અલગ-અલગ શાળાનાં વિદ્યાર્થીઓ, નાગરિકો, વિવિધ સંસ્થાઓ આ યાત્રામાં જોડાતા જોવા મળ્યા હતા. હાથમાં તિરંગા સાથે યુવાનોએ 'વંદે માતરમ', 'ભારત માતા કી જય'ના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું. દેશભક્તિના ગીતો સાથે "મેરી મિટ્ટી, મેરા દેશ", "હર ઘર તિરંગા" અભિયાનનો સંદેશો આપતા પોસ્ટરો દ્વારા લોકજાગૃતિનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
8GB रैम 5000mAh बैटरी के साथ लॉन्च OPPO का ये बजट फोन, स्टाइलिश डिजाइन के साथ मिलेगा धांसू कैमरा
OPPO A18 New Variant Launched OPPO A18 के 4GB रैम के साथ 128GB स्टोरेज मॉडल की कीमत 11499 रुपये...
মেকিপুৰ গাঁও পঞ্চায়তৰ ৱাৰ্ড সদস্যা ৰীণা মানকীৰ অকাল মৃত্যু ।
নাজিৰা সমষ্টিৰ মেকিপুৰ গাঁও পঞ্চায়তৰ ৱাৰ্ড সদস্যা , আটছাৰ নাজিৰা শাখাৰ প্ৰাক্তন সাংস্কৃতিক...
Israel Hezbollah Tension: Hezbollah प्रमुख Hassan Nasrallah ने इसराइल पर क्या कहा? (BBC Hindi)
Israel Hezbollah Tension: Hezbollah प्रमुख Hassan Nasrallah ने इसराइल पर क्या कहा? (BBC Hindi)
ખાંભા પોલીસ મથકમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પી.એસ. આઈ. એમ. ડી.ગોહિલ નું સન્માન કરવામાં આવ્યું.
અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે ૭૭માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાનાની ઉજવણી માં જિલ્લા વિશિષ્ટ...