આજ રોજ લગભગ રાતનાં 10.30 વાગે ગળતેશ્વર તાલુકાના હડમતીયા ગામે તેના નજીક માં આવેલા એક તળાવ માંથી 4 ફૂટ જેટલી લંબાઈ ધરાવતું એક મગર નું બચ્ચું ગામ માં આવી જતા લોકોમાં નાસભાગ નો માહોલ સર્જાયો હતો ત્યાર બાદ ત્યાંના જાગૃત નાગરિક પરમાર રાકેશભાઈએ ત્યાંના નજીક ના ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફર ટ્રસ્ટ N G Oના ગળતેશ્વર તાલુકાના પ્રમુખશ્રી રામસિહ પરમાર ને જાન કરી હતી તેમને તાત્કાલિક વન વિભાગ ને જાણ કરતા રેસ્ક્યુ કાર્ય હાથ ધર્યુ હતુ જેમાં વન વિભાગ માંથી ફોરેસ્ટર પ્રદીપ ભાઈ ભરવાડ અને N G O ના સભ્યો કૌશિક પરમાર અને જયેશ પરમાર સાથે મળીને રેસ્ક્યુ કાર્ય કરી પ્રાથમિક ચકાસણી કરી ને તેને માનવ વસવાટ થી દૂર છોડી દેવામાં આવ્યુ હતુ

  

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર