મૂળી તાલુકાનાં દિગસર ગામે રહેતા પરિવારનો યુવક બે દિવસ પહેલા ગુમ થયા બાદ તળાવની પાળ પરથી મોટરસાઇકલ મળી હતી અને ત્યારપછી ચેકડેમમાંથી માથામાં ઇજા થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢી ખેતમજૂર દંપતીની સંડોવણીનો પર્દાફાશ કર્યો હતો. ગામના જ એક રહીશની વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા છોટાઉદેપુર બાજુના દંપતીએ યુવાનની હત્યા કરી મૃતદેહને ગાંસડીમાં બાંધી બાઇક પર લઇ જઇ પથ્થર બાંધી ચેકડેમમાં ફેંકી દીધો હતો. મૃતકે ભાગિયાની પત્ની પર નજર બગાડતા હત્યા કરાઇ હોવાનો બચાવ આરોપીઓએ કર્યો છે.બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ દિગસર ગામે રહેતા દિવુભા ઉર્ફે દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર બે દિવસ પહેલા ધરેથી ગુમ થયા બાદ મંગળવારે મોડી સાંજે દાણાવાડાનાં રસ્તે આવેલા ચેકડેમમાંથી તેમનો ફોગાઇ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરાતા મૂળી પી એસ આઇ ડી. ડી. ચુડાસમા, હર્ષરાજસિંહ સહિતની ટીમે તપાસ કરતા મૃતદેહના માથાના ભાગે ઇજા પહોંચાડી હત્યા કરાયાનું ખૂલ્યું હતું.બીજીતરફ મૃતકનાં પિતા મહેન્દ્રસિંહ અજીતસિંહ પરમારે પુત્રની હત્યા થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કરેલી તપાસમાં જણાવ્યું હતું કે, દિવ્યરાજસિંહ પરમાર તેમનાં જ ગામનાં મિત્રો ચંદુભાઇ નાકીયા,કેતનભાઇ દેવીપુજક,ગામનાજ મનસુખભાઇ પટેલની વાડીએ તેમના મજુર લાલજીભાઇ હકલાભાઇ આદિવાસી સાથે રવિવારે મોડી સાંજે નોનોવેજનો પ્રોગ્રામ કર્યા.હત્યારા દંપતી દ્રારા ક્રાઇમ પેટ્રોલ નામની સિરિયલ જોઇ મૃતદેહને કેવી રીતે સગેવગે કરવો તે નક્કી કર્યુ હતુ લોકો ગેરમાર્ગે દોરાય તે માટે મોટરસાઇકલ ત્યાંજ બાવળની કાંટમાં અને ચપ્પલ તળાવ કાંઠે મુકી કાવતરૂ કર્યાનુ ચર્ચાઇ રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हज पर जाने वाले को किया गया सम्मानित-दी गई मुबारकबाद।
गोरखपुर/ रसूलपुर में स्थित हाफिज नसरुद्दीन के आवास पर दाऐ रे अदब के तरफ से हज पर जाने वाले...
World Autism Awareness Day 2024: क्या है ऑटिज्म और किन लक्षणों से कर सकते हैं पहचान?
ऑटिज्म के बारे में लोगों को जागरूक बनाने के लिए हर साल 2 अप्रैल को वर्ल्ड ऑटिज्म अवेयरनेस डे...
ડીસા તાલુકાના વાસડા ગામે સામાન્ય બોલચાલીમાં બે સમાજના લોકો વચ્ચે મારામારી
ડીસા તાલુકાના વાસડા ગામે સામાન્ય બોલચાલીમાં બે સમાજના લોકો વચ્ચે મારામારી
ધાનેરામાં પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો,
પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો,પ્રજાપતિ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં...