સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડના વતની હાલ અમદાવાદ રહેતા મહિપતસિંહ પ્રવિણસિંહ વાળા "મા ભોમ"ની રક્ષા કાજે શહીદ થયા છે. મહિપાલસિંહ તેમના આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ અંતિમશ્વાસ લીધા છે.જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણમા જવાન શહીદ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં કુલગામ પોલીસ પણ સામેલ હતી. ઓપરેશન દરમિયાન સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી,જેમાં 3 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે તેઓ શહીદ થયા હતા આતંકીઓને પકડવા માટે સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ સાથેની અથડામણમાં અમદવાદના શહિદ થયેલા જવાનનું નામ મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા છે.જેઓ મૂળ સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના મોજીદડ ગામના વતની છે. તેઓ છેલ્લા 40 વર્ષથી અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહે છે અને તેમનો જન્મ પણ અમદાવાદમાં જ થયો છે. મહિપાલસિંહ છેલ્લા 8 વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવી રહ્યા છે. તેમની પહેલી પોસ્ટીંગ જબલપુરમાં થઈ હતી, જ્યાં તેમણે ચાર વર્ષ ફરજ બજાવ્યા બાદ બીજી પોસ્ટીંગ ચંદીગઢમાં થઈ હતી, જ્યાં તેઓએ ત્રણ વર્ષ ફરજ બજાવી હતી. ત્યાર બાદ છેલ્લા 6 મહિનાથી તેમની પોસ્ટીંગ જમ્મુ-કાશ્મીરમાં થઈ હતી. જ્યાં તેઓ ગઈકાલે આંતકી સાથેની અથડામણમાં 27 વર્ષની નાની વયે શહીદ થયા હતા. મહિપાલસિંહ એક મહિના અગાઉ એક મહિનાની રજા લઈને અમદાવાદમાં આવ્યા હતા અને તેમની પત્નીના સીમંતના પ્રસંગમાં પણ હાજર રહ્યા હતા.તેમના ઘરે પારણું શહીદના અગ્નિસંસ્કાર થાય તે પહેલા જ પત્નીએ બાળકને જન્મ આપ્યો એક બાજુઓ પરિવારમાં ખુશીનો અવસર હતો તો એક બાજુ ગમનો અવસર જોવા મળ્યો હતો તેઓની પત્નીને ડિલેવરી માટે એક તરફ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. મહિપાલસિંહ તેમના આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ અંતિમશ્વાસ લીધા છે. આજે મહિપાલસિંહના મૃતદેહને એરકાર્ગો મારફતે રવિવારે અમદાવાદ ખાતે લાવવામાં આવશે. મા ભોમની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપનારા મહિપાલસિંહ વાળાનો પાર્થિવ દેહ અમદાવાદ પહોંચી ચૂક્યો છે. ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી છે.અહીંથી તેમની અંતિમયાત્રા પણ કાઢવામાં આવશે. મહિપાલસિંહ વાળાનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મોજીદડ ગામ હતું. ત્યાંથી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા. 25 વર્ષીય જવાન કુલગામમાં સેનામાં ફરજ બજાવતા હતા. ત્યારે આતંકીઓ સાથેની અથડામણમાં તેઓ શહીદ થયા હતા. મહિપાલસિંહની અંતિમયાત્રા વિરાટનગરથી નીકળી લીલાનગર સ્મશાન ગૃહ તરફ લઈ જવામાં આવશે.શહીદ મહિપાલસિંહ વાળાની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. શહીદને અંતિમ વિદાય આપવા માટે રસ્તા પર લોકોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહીદ જવાનના લીલાનગર સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ સાથેની અથડામણમાં અમદવાદના શહિદ થયેલા જવાનનું નામ મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા છે. જેઓ મૂળ સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના મોજીદડ ગામના વતની છે. તેઓ છેલ્લા 40 વર્ષથી અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહે છે અને તેમનો જન્મ પણ અમદાવાદમાં જ થયો છેમહિપાલસિંહ વાળા છેલ્લા 8 વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવી રહ્યા છે. તેમની પહેલી પોસ્ટીંગ જબલપુરમાં થઈ હતી, જ્યાં તેમણે ચાર વર્ષ ફરજ બજાવી હતી. ત્યારબાદ બીજી પોસ્ટીંગ ચંદીગઢમાં થઈ હતી, જ્યાં તેમણે ત્રણ વર્ષ ફરજ બજાવી હતી. ત્યારબાદ છેલ્લા 6 મહિનાથી તેમનું પોસ્ટીંગ જમ્મુ-કાશ્મીરમાં થયું હતું. જ્યાં તેઓ આંતકી સાથેની અથડામણમાં 27 વર્ષની નાની વયે શહીદ થયા હતા.હિપાલસિંહ એક મહિના અગાઉ એક મહિનાની રજા લઈને અમદાવાદમાં આવ્યા હતા અને તેમની પત્નીના સીમંતના પ્રસંગમાં પણ હાજર રહ્યા હતા. તેમના ઘરે પારણું બંધાવવાનું છે. તેમની પત્નીને ડિલેવરી માટે એક તરફ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. મહિપાલસિંહ તેમના આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલાં જ અંતિમશ્વાસ લીધા છે. આજે મહિપાલસિંહના મૃતદેહને એરકાર્ગો મારફતે અમદાવાદમાં લાવવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં શુક્રવાર સાંજે આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય જવાનોએ અંતિમશ્વાસ લીધો હતો. જેમાં એક જવાન મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદના જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শ্বিলঙত অনুষ্ঠিত উত্তৰ-পূৱ অলিম্পিক'ত গৌৰৱ অৰ্জন কৰিলে সোণাৰিৰ আকাশদ্বীপে
শ্বিলঙত অনুষ্ঠিত উত্তৰ-পূৱ অলিম্পিক'ত গৌৰৱ অৰ্জন কৰিলে সোণাৰিৰ আকাশদ্বীপে।
শ্বিলঙত...
Amreli | રાજુલા પટેલ સમાજ વાડી ખાતે સહકાર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું | Divyang News
Amreli | રાજુલા પટેલ સમાજ વાડી ખાતે સહકાર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું | Divyang News
મોરબીમાં નગરપાલિકાના ખર્ચે ભાજપનો પ્રચાર થતો હોવાનો કોંગ્રેસનો ધગધગતો આરોપ
મોરબીમાં નગરપાલિકાના ખર્ચે ભાજપનો પ્રચાર થતો હોવાનો કોંગ્રેસનો ધગધગતો આરોપ
મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લુણાવાડા ખાતે મોંઘવારી વિરુદ્ધમાં રેલી
મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લુણાવાડા ખાતે મોંઘવારી વિરુદ્ધમાં રેલી
অসম অৰুনাচল সীমান্তৰ বিবদমান অঞ্চল পৰিদৰ্শন মন্ত্ৰী কেশৱ মহন্তৰ
লখিমপুৰ জিলাৰ বিহপুৰীয়া ৰাজহচক্ৰৰ অন্তৰ্গত অৰুনাচল সীমান্তৰ বিবদমান অঞ্চল গুমটৌ পৰিদৰ্শন...