લીંબડી તાલુકાના એક ગામની સગીરાને પાટડી તાલુકાના કામલુપર ગામનો શખસ ભગાડી ગયો હતો. સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. પાણશીણા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. સગીરાના ભગાડી તેની સાથે દુષ્કર્મ કરનાર શખસને લીંબડી કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા સાથે આર્થિક દંડ ફટકાર્યો હતો.જો દંડની રકમ ન ભરે તો વધુ સજાની જોગવાઈ કરવામાં આવી છે. લીંબડી તાલુકાના એક ગામની સગીરાને પાટડી તાલુકાના કામલુપર ગામનો ભરત કલા રાઠોડ તા.24 ડિસેમ્બર 2017ના રોજ ભગાડી ગયો હતો. 16 વર્ષ અને 3 માસની સગીરા સાથે ભરત રાઠોડે દુષ્કર્મ કર્યું હતું. સગીરાના પરિવારજનોએ આ અંગે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ લીંબડી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કે.બી.શાહે આરોપી ભરત રાઠોડને સજા અપાવવા ધારદાર દલીલો સાથે 28 મૌખિક અને 30 દસ્તાવેજી પુરાવા રજૂ કરી ગુનો પુરવાર કર્યો હતો.બચાવ પક્ષના વકીલ એન.એલ.મકવાણાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપી નાની વયનો છે. 6 વર્ષથી કસ્ટડીમાં છે. તેનો ગુનાહિત ઇતિહાસ નથી સાથે ગરીબ હોવાથી ઓછી સજા કરજો. ફરિયાદી પક્ષના વકિલ કિરણભાઈ શાહે રજૂઆત કરી હતી આરોપીએ સગીરાને ભગાડી દુષ્કર્મ કર્યું હતું તે ગુનો સાબિત થયો છે. સમાજમાં દાખલો બેસાડવા માટે મહત્તમ સજા ફટકારવી જોઈએ. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ પોક્સો જજ મમતાબેન ચૌહાણે આરોપી ભરત રાઠોડને 10 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરે તો વધુ સજાની જોગવાઈ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अमानगंज झिरियन मोहल्ले में 16 वर्षीय युवक ने अज्ञात कारणों के चलते फांसी लगाकर की आत्महत्या जांच में जुटी पुलिस
पन्ना जिले के अमानगंज थाना क्षेत्र अंतर्गत आने वाले झिरियन...
Tips to increase eyesight | आंखों की रोशनी कैसे बढ़ाएं
Tips to increase eyesight | आंखों की रोशनी कैसे बढ़ाएं
ગીર ગઢડા: મહુવાથી સોમનાથ સુધી સાઈકલ યાત્રામા નીક્ળેલ ડોક્ટરોનું કરાયું સ્વાગત
ગીર ગઢડા: મહુવાથી સોમનાથ સુધી સાઈકલ યાત્રામા નીક્ળેલ ડોક્ટરોનું કરાયું સ્વાગત
CJI चंद्रचूड़ बोले- अगर आस्था है, तो भगवान रास्ता निकालेंगे:राम जन्मभूमि केस के वक्त मैं भगवान के सामने बैठा, कहा- आप ही समाधान दीजिए
CJI डीवाई चंद्रचूड़ ने कहा है कि अगर आस्था हो तो ईश्वर कोई भी रास्ता निकाल देते हैं। राम...