લીંબડી તાલુકાના એક ગામની સગીરાને પાટડી તાલુકાના કામલુપર ગામનો શખસ ભગાડી ગયો હતો. સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. પાણશીણા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. સગીરાના ભગાડી તેની સાથે દુષ્કર્મ કરનાર શખસને લીંબડી કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા સાથે આર્થિક દંડ ફટકાર્યો હતો.જો દંડની રકમ ન ભરે તો વધુ સજાની જોગવાઈ કરવામાં આવી છે. લીંબડી તાલુકાના એક ગામની સગીરાને પાટડી તાલુકાના કામલુપર ગામનો ભરત કલા રાઠોડ તા.24 ડિસેમ્બર 2017ના રોજ ભગાડી ગયો હતો. 16 વર્ષ અને 3 માસની સગીરા સાથે ભરત રાઠોડે દુષ્કર્મ કર્યું હતું. સગીરાના પરિવારજનોએ આ અંગે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ લીંબડી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કે.બી.શાહે આરોપી ભરત રાઠોડને સજા અપાવવા ધારદાર દલીલો સાથે 28 મૌખિક અને 30 દસ્તાવેજી પુરાવા રજૂ કરી ગુનો પુરવાર કર્યો હતો.બચાવ પક્ષના વકીલ એન.એલ.મકવાણાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપી નાની વયનો છે. 6 વર્ષથી કસ્ટડીમાં છે. તેનો ગુનાહિત ઇતિહાસ નથી સાથે ગરીબ હોવાથી ઓછી સજા કરજો. ફરિયાદી પક્ષના વકિલ કિરણભાઈ શાહે રજૂઆત કરી હતી આરોપીએ સગીરાને ભગાડી દુષ્કર્મ કર્યું હતું તે ગુનો સાબિત થયો છે. સમાજમાં દાખલો બેસાડવા માટે મહત્તમ સજા ફટકારવી જોઈએ. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ પોક્સો જજ મમતાબેન ચૌહાણે આરોપી ભરત રાઠોડને 10 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરે તો વધુ સજાની જોગવાઈ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં સ્વ. હીરાબાને શ્રધ્ધાજલી અર્પણ કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ...
જુગારધામ ઉપર પોલીસ ટીમનો દરોડો : 4 શખ્સો ઝડપાયા
ધ્રાંગધ્રા શેહરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાહીત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે...
बँक ऑफ इंडिया जाकादेवी शाखेतर्फे खालगाव ग्रामपंचायत येथे सतर्कता जागरूकता सप्ताह संपन्न
रत्नागिरी : तालुक्यातील बँक ऑफ इंडिया शाखा जाकादेवी यांच्यामार्फत खालगाव ग्रामपंचायत येथे येथे...
रिछपाल मिर्धा ने हनुमान बेनीवाल को दी 'अमर बकरे' की उपाधि,जानिए क्या है पूरा मामला
जो आदमी चुनाव नहीं हारता है और जनता उसे नहीं हराती है, उसे 'अमर बकरे' की उपाधि दी जाती है. कुछ...
૧૫ જેટલી ચોરીઓને અંજામ આપી બંધ મકાનોમાં ઘરફોડ ચોરી કરનાર સીકલીગર ગેંગના ત્રણ સભ્યોને સોના ચાંદીના દાગીના સહીત કુલ કિં. રૂ.૫,૫૦,૬૨૯/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી તથા રાજકોટ . જિલ્લાના કુલ – ૪ ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ.
ગુન્હાની વિગતઃ-
(૧) અનવરભાઇ ગુલાબભાઇ સેતા, ઉં.વ.૩૨, રહે.બગસરા, નટવરનગર, તા.બગસરા,...