ગોવાના રાજ્યપાલ શ્રીધરણ પિલ્લાઈના અધ્યક્ષ સ્થાને સુરત ખાતે કેરળ સમાજમ દ્વારા અક્ષય નેશનલ એવોર્ડ સમારોહ યોજાયો

ગોવાના રાજ્યપાલશ્રી શ્રીધરણ પિલ્લાઈના અધ્યક્ષસ્થાને કેરળ સમાજમ-સુરત દ્વારા સાર્વજનિક યુનિવર્સિટી, એમટીબી કોલેજ કેમ્પસ સ્થિત તારામોતી હોલ ખાતે અક્ષય નેશનલ એવોર્ડ સમારોહ યોજાયો હતો.  

              કેરળ સમાજમ-સુરતના અધ્યક્ષ શ્રી સુનિલ નામ્બિયાર સહિત સુરતમાં વસતા કેરાલી નાગરિકોએ રાજ્યપાલશ્રીને સુરતમાં ઉષ્માભેર આવકાર્યા હતા. 

           આ પ્રસંગે કેરળ સમાજના કલાકારોએ કેરળની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા મનમોહક નૃત્યો રજૂ કર્યા હતા.

             આ પ્રસંગે કેરળ સાહિત્ય અકાદમીના પૂર્વ સેક્રેટરીશ્રી પાઈપારા રાધાકૃષ્ણન, અગ્રણીઓ કે.એસ.શ્રી કુમાર, ટોમી જોસેફ, દક્ષિણ ગુજરાતના વિવિધ મલયાલી વ્યાપારી એસોસિયેશનોના હોદ્દેદારો સહિત સુરતમાં વસતા કેરળવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.