'નારી વંદન ઉત્સવ' સપ્તાહ અંતર્ગત વઢવાણ તાલુકા પંચાયત ખાતે 'મહિલા નેતૃત્વ દિવસ' દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ નેતૃત્વ કરતી મહિલાઓનું મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.તાલુકા વિકાસ અધિકારી અર્પણ ચાવડાએ દ્વારા મહિલાઓમા શિક્ષણનું સ્તર વધારવા સહીતની બાબતો પર માર્ગદર્શન આપ્યું હતુ. વઢવાણ સી.ડી.પી.ઓ. પ્રિતીબેન નાગપરાએ મહિલા નેતૃત્વ દિવસ વિશે ઉદબોધન કર્યું હતુ. ખેતીવાડી વિસ્તરણ અધિકારી દિનેશભાઈએ પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસર ભરતભાઈ ડાભી દ્વારા મહિલાલક્ષી કાયદા વિશે તેમજ જલ્પાબેન ચંદેશરા દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી વિવિધ યોજનાની માહિતી તેમજ વિવિધ સ્થળોએ થઈ રહેલા નારી વંદન ઉત્સવ ઊજવણીની માહિતી પણ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નારી વંદન ઉત્સવ અંતર્ગત દરેક તાલુકા કક્ષાએ મહિલા નેતૃત્વ દિવસ કાર્યક્રમની ઉત્સાહભેર ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પંચાયત વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં 'નારી વંદન ઉત્સવ' અંતર્ગત એમ.પી.શાહ આર્ટસ અને સાયન્સ કોલેજ ખાતે 'મહિલા કર્મયોગી દિવસ'ની ઉજવણી કરાઈ : 'મહિલા કર્મયોગી દિવસ'ની ઉજવણી નિમિતે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-2013 વિશે જાગરૂકતા સેમીનારનું આયોજન કરાયું 'નારી વંદન ઉત્સવ' સપ્તાહ અંતર્ગત એમ.પી.શાહ આર્ટસ અને સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે 'મહિલા કર્મયોગી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-2013 વિશે જાગરૂકતા સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#rajkot l વેરાવળથી રાજકોટ જતી ટ્રેનને આદ્રી રેલ્વે સ્ટેશને સ્ટોપ આપવા માંગ l Divyang News
#rajkot l વેરાવળથી રાજકોટ જતી ટ્રેનને આદ્રી રેલ્વે સ્ટેશને સ્ટોપ આપવા માંગ l Divyang News
મિશન લાઈફ - પર્યાવરણલક્ષી જીવનશૈલી" વિષય પર વિશેષ જન સંપર્ક કાર્યક્રમ યોજાયો
ભારત સરકાર ના માહિતી અને પ્રસારણ મંત્રાલય ના કેન્દ્રીય સંચાર બ્યૂરો અને વન સંવર્ધન કેન્દ્ર , (...
જિલ્લા સંકલન બેઠકમાં ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણાએ હાજરી આપી
તારીખ-15/12/2023 ના રોજ બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશભાઈ મકવાણાએ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા...
PM Modi visits Ashapura mata temple and interacts with public in Kutch
Prime Minister Narendra Modi visits Ashapura mata temple and interacts with public in Kutch
वातावरणात बदल ताप, सर्दीच्या रुग्णांत वाढ; ताप अंगावर न काढता डॉक्टरांचा सल्ला घ्या! डॉ. वेणुगोपाल पंडित
आता सध्या च्या वातावरणातील बदलामुळे ताप, सर्दी, खोकला, अंगदुखी आदी आजारांना...