સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે ઉપર આવેલા જોલી વોટરપાર્ક નજીક એક ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી હજુ તેનો ભેદ પોલીસ ઉકેલી શકી નથી ત્યારે આજે વધુ એક ચોટીલા નજીક જલારામ મંદિર આવેલું છે તેની નજીકથી આધેડનો મૃતદેહ મળી આવ્યો છે.જેને લઈને અનેક પ્રકારની અટકળો વહેતી થઈ છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભેંસઝાળ ખાતે બનેવીની ખબર અંતર પૂછવા આવેલા સાળાની લાશ ચોટીલા નજીક આવેલા જલારામ મંદિર સામેથી મળી આવી છે ત્યારે મળતી માહિતી મુજબ અમદાવાદ ખાતે રિક્ષા ચલાવતા અને પોતાના પરિવાર સાથે વસવાટ કરતા અરવિંદસિંહ જાડેજા 28મી જુલાઈના રોજ અમદાવાદ થી પોતાના ઘરેથી પરિવારને જાણ કરી અને ચુડા નજીક આવેલા ગામડામાં બનેવી ની ખબર કાઢવા આવ્યા હતા.ત્યારે 28મી જુલાઈના રોજ તે ખબર કાઢવા આવ્યા ત્યાં રોકાઈ ગયા હતા. ત્યારબાદ અરવિંદસિંહ જાડેજા ગામમાંથી રાજકોટ તરફ જતી કારમાં બેસી જઈ અને ત્યારબાદ સુરેન્દ્રનગરની જે દર્શન હોટલ આવેલી છે ત્યાં ઉતરી ગયા હતા અને ત્યાં અન્ય વાહનમાં બેસી ગયા હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યું છે પરંતુ તે છેલ્લા સાત દિવસથી ગુમ હોવાના કારણે પરિવારજનો દ્વારા જોરાવર નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો અને ગુમ થયા હોવાનો ગુનો દાખલ કરાયો હતો.આ અંગે દર્શન હોટલના સીસીટીવી ફૂટેજ પણ પરિવારજનોએ પોલીસને સોંપ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી પરંતુ જે આ આધેડ છે તેમની કોઈપણ પ્રકારની ભાળ પોલીસને મળી ન હતી કે છેલ્લે દર્શન હોટેલ નજીક ઇકો કારમાંથી અરવિંદસિંહ જાડેજા પોતે ઉતરી જાય છે અને ત્યારબાદ રાજકોટ તરફ જતી અન્ય કારમાં બેસી જતા હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ ત્યારબાદ કોઈપણ પ્રકારનું લોકેશન અથવા કોઈ પણ પ્રકારની વિગતો આ બાબતે સામે જોરાવનગર પોલીસને મળી ન હતી ત્યારે આજે અરવિંદસિંહ જાડેજા નો મૃતદેહ ચોટીલા નજીક આવેલા જલારામ મંદિર સામેથી મળી આવ્યો છે. ચોટીલા હાઈવે ઉપરથી મળી આવી છે પ્રથમ જોલી વોટરપાર્ક સામેથી ગળું કાપેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે આ અંગે હજી પોલીસ તપાસ કરી રહી છે અને હત્યારાઓને શોધી રહી છે ત્યાં બીજી લાશ ચોટીલા નજીક જલારામ મંદિર સામેથી મળી આવી છે ત્યારે હવે આ હત્યા છે કે આત્મહત્યા તેનું રહસ્ય ઘૂંટાતું જઈ રહ્યું છે જોકે પોલીસ વિભાગ દ્વારા આ અંગે લાશના પીએમ માટે રાજકોટ ખાતે મોકલી છે ફોરેન્સિક રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવી જશે અને ત્યારબાદ હત્યા છે કે આત્મહત્યા તે અંગેનો પણ ખ્યાલ આવી જશે પરંતુ હાલમાં છેલ્લા 20 દિવસમાં બીજી વખત ચોટીલા નજીક લાશો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર વિરુદ્ધ બાયો ચડાવાઈ
#buletinindia #gujarat
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas Share Market Tomorrow CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas Share Market Tomorrow CNBC Awaaz
નર્મદા ડેમમાંથી ફરી પાણી છોડાયું....જાણો કેટલી માત્રામાં છોડશે પાણી.. ૨૦૨૨
નર્મદા ડેમમાંથી ફરી પાણી છોડાયું....જાણો કેટલી માત્રામાં છોડશે પાણી..
રાજપીપલા : જુનેદ ખત્રી...
મેરી મા કે બરાબર કોઈ નહીં… જીવ જોખમમાં નાંખી પોતાના બચ્ચાઓને બચાવતા ઉંદરનો વીડિયો વાયરલ
મેરી મા કે બરાબર કોઈ નહીં… વરસાદ આવ્યા બાદ પોતાનો જીવ જોખમમાં નાંખી પોતાના બચ્ચાઓને બચાવતા...