સુરેન્દ્રનગર ખાતે હીનાબેન પંડ્યા, મહેબૂબભાઈ મુલતાની, ભગીરથભાઈ રાવલ, ધમેંન્દ્રભાઈ પંડયા, જીમીતભાઇ કોઠારી દ્વારા રાઈસિંગ સ્ટાર કરાઓકે ગ્રુપ ચલાવવામાં આવે છે. આ ગ્રૂપ દ્વારા નવા નવાં કલાકારો ને ગાયકી માટે નું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. તારીખ 30/07/2023ના રોજ દ્વારા રાઈસિંગ સ્ટાર કરાઓકે ગ્રુપ દ્વારા માતૃ વંદના તીર્થ વૃદ્ધાશ્રમ, વઢવાણ ખાતે વડીલોના મનોરંજન માટે મુકેશજી અને રફી સાહેબ ના ગીતો સાથે કરાઓકે મ્યુઝીકલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું.આ પ્રોગ્રામમાં હીનાબેન પંડ્યા, મહેબૂબભાઈ મુલતાની, ધર્મેન્દ્રભાઈ પંડયા, હાર્દિક ભાઈ પરમાર, ખ્યાતિબેન પરમાર, અંકિતભાઈ રાઠોડ, હેમાબેન દવે, દિયાબેન દવે, હિરલબેન પરીખ, હેતલબેન, પ્રદ્યુમનસિંહ મકવાણા જેવાં સીંગરો દ્વારા માતૃ વંદના તીર્થ વૃદ્ધાશ્રમ ના વડીલો સમક્ષ ગીતો રજૂ કરીને તેમને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું હાર્દિકભાઈ પરમારના સાઉન્ડ સાથે ઋફક્ષભુ ઋહીયિં જીમિતભાઈ કોઠારી દ્વારા બાસુરી વાદન પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૈન જાગૃતિ સેંટર, સુરેન્દ્રનગર પણ સહભાગી બન્યું હતું. જૈન જાગૃતિ સેંટર સુરેન્દ્રનગર ના પ્રમુખ સી.સી. શાહ અને પરિમલ મોદી સહિતના જૈન જાગૃતિ સેન્ટર કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.