રાણપુરના ડોક્ટર દંપતી ત્રણેક દિવસ માટે અમદાવાદ ગયા હતા. ત્યારે પાછળથી બંધ મકાનમાંથી રૂ।.3.62 લાખના દાગીના અને રૂ।.10 લાખ રોકડની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ અંગે તેમણે રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. રાણપુરની ગાયત્રી સોસાયટીમાં રહેતા ડો. ધરાબેન ચંદ્રેશભાઈ ત્રિવેદી તેમના પતિ ડો.ચંદ્રેશભાઈ અને બે પુત્રીઓ સાથે તા. 27 જુલાઈના રોજ અમદાવાદ ગયાં હતાં.ત્યાંથી તા.30 જુલાઈના રોજ રાણપુર પરત ફરતા ઘરના દરવાજાનો નકુચો તૂટેલો તથા તાળું નીચે પડેલું જોતાં જ તેઓએ ઘરમાં જઈને જોતા બેડરૂમમાં પડેલી લોખંડની તિજોરી તૂટેલી હતી. તેમાંથી ધરાબેનનો સોનાનો સેટ, ચાર બંગડી, બે બુટ્ટી, ત્રણ સેરવાળો હાર, દામણી, મંગલસૂત્ર, સાચા હીરાનો સેટ, નાકની ચૂક સહિત રૂપિયા 3,62,000ના દાગીના તથા રોકડ રૂપિયા 5,10,000 તિજોરીમાં નહોતા. જેથી તેમણે રાણપુર પોલીસ સ્ટેશનમાં કુલ રૂ।,72,000ની મત્તાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. ભાજપના પ્રદેશ કક્ષાના આગેવાનના ઘરે ચોરી થતાં બોટાદ એસપી, ડીવાયએસપી, એલસીબી, રાણપુર પીએસઆઇ દોડી આવ્યા હતા. તથા ચોરને પકડવાનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. આ પહેલા ડોગ સ્ક્વોડ પણ આવી ગઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कील मुंहासे क्यों होते हैं - science behind pimples
कील मुंहासे क्यों होते हैं - science behind pimples
Vida Electric Scooter: विडा के इलेक्ट्रिक स्कूटर पर मिल रहा 27 हजार रुपये बचाने का मौका, 31 मार्च तक मिलेगा ऑफर
भारतीय बाजार में इलेक्ट्रिक स्कूटर निर्माताओं की ओर से March 2024 में कई तरह के ऑफर और...
পথ মেৰামতিৰ দাবীত ৰাইজৰ প্ৰতিবাদ
নাৰায়ণপুৰ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত ৰামপুৰৰ পৰা নিমুৰী হৈ শিমলুগুৰিৰ সংযোগী গড়কাপ্তানী পথটোৰে...
ભાભર શહેર માં સંત આશારામજી બાપુના ભક્તો દ્વારા હરિનામ સંકીર્તન યાત્રા યોજાય
ભાભર શહેર માં સંત આશારામજી બાપુના ભક્તો દ્વારા હરિનામ સંકીર્તન યાત્રા યોજાય