રાણપુરના ડોક્ટર દંપતી ત્રણેક દિવસ માટે અમદાવાદ ગયા હતા. ત્યારે પાછળથી બંધ મકાનમાંથી રૂ।.3.62 લાખના દાગીના અને રૂ।.10 લાખ રોકડની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ અંગે તેમણે રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. રાણપુરની ગાયત્રી સોસાયટીમાં રહેતા ડો. ધરાબેન ચંદ્રેશભાઈ ત્રિવેદી તેમના પતિ ડો.ચંદ્રેશભાઈ અને બે પુત્રીઓ સાથે તા. 27 જુલાઈના રોજ અમદાવાદ ગયાં હતાં.ત્યાંથી તા.30 જુલાઈના રોજ રાણપુર પરત ફરતા ઘરના દરવાજાનો નકુચો તૂટેલો તથા તાળું નીચે પડેલું જોતાં જ તેઓએ ઘરમાં જઈને જોતા બેડરૂમમાં પડેલી લોખંડની તિજોરી તૂટેલી હતી. તેમાંથી ધરાબેનનો સોનાનો સેટ, ચાર બંગડી, બે બુટ્ટી, ત્રણ સેરવાળો હાર, દામણી, મંગલસૂત્ર, સાચા હીરાનો સેટ, નાકની ચૂક સહિત રૂપિયા 3,62,000ના દાગીના તથા રોકડ રૂપિયા 5,10,000 તિજોરીમાં નહોતા. જેથી તેમણે રાણપુર પોલીસ સ્ટેશનમાં કુલ રૂ।,72,000ની મત્તાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. ભાજપના પ્રદેશ કક્ષાના આગેવાનના ઘરે ચોરી થતાં બોટાદ એસપી, ડીવાયએસપી, એલસીબી, રાણપુર પીએસઆઇ દોડી આવ્યા હતા. તથા ચોરને પકડવાનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. આ પહેલા ડોગ સ્ક્વોડ પણ આવી ગઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હદ છે.. હવે તો...ભગવાન ને પણ નોટિસ..?
હદ છે.. મધ્યપ્રદેશ ના મુરૈના માં રેલવે વિભાગ દ્વારા હનુમાનજી ને અતિક્રમણ કારી જણાવી નોટિસ ઈસ્યુ...
#banaskantha | ભાભર તાલુકાના ખારા ગામે મહાકાળી માતાજીની ઉજાણી ઉજવાઈ | Divyang News
#banaskantha | ભાભર તાલુકાના ખારા ગામે મહાકાળી માતાજીની ઉજાણી ઉજવાઈ | Divyang News
Israel Hamas War : ज़मीन, पानी और हवा के रास्ते इसराइल में कैसे दाख़िल हुआ था हमास? (BBC Hindi)
Israel Hamas War : ज़मीन, पानी और हवा के रास्ते इसराइल में कैसे दाख़िल हुआ था हमास? (BBC Hindi)
Kangana Ranaut: "मेरे योगी भैया जैसा कोई नहीं..." अतीक अहमद के बेटे असद के एनकाउंटर पर आया कंगना का रिएक्शन
नई दिल्ली, जेएनएन। कंगना रनोट किसी भी मुद्दे पर अपना रिएक्शन देने से चूकती नहीं हैं, चाहे वो...
জীৱন্ত কুঁচিয়া খাই মৃত্যু এজন যুৱক
জীৱন্ত কুঁচিয়া খাই মৃত্যু এজন যুৱক। বজালী জিলাৰ পাঠশালাত সংঘটিত হৈছে এই অঘটন। পংকজ ৰয় নামৰ এজন...