થાન તાલુકાના ખાખરાથળ ગામે રામજી મંદિરના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે થાન પોલીસે રેડ કરી હતી. જેમાં જીતુભાઈ ઉર્ફે લાલો વાઘુભાઈ ધાંધલ, રમેશભાઈ ઉર્ફે જાડીયો મનજીભાઇ રંગપરા, રાજુભાઈ કાનભાઇ ખાચર, ઘુઘાભાઈ સાર્દુળભાઈ ખાચર તીનપત્તીનો જુગાર રમતા પકડાયા હતા.જ્યારે રણછોડભાઈ મોતીભાઈ રબારી, મલાભાઈ નાનુભાઈ સારદીયા, વિજયભાઈ ગભરૂભાઇ માલા, કુલદીપભાઈ બાબભાઇ ખાચર, રઘુભાઈ રામાભાઇ, અરવિંદભાઇ વિનાભાઇ અને હકુભાઈ વિક્રમભાઈ ધાંધલ નાસી છૂટ્યા હતા. જુગારના સ્થળ પરથી રૂ. 32000ની રોકડ, રૂ. 45,000ની કિંમતના 6 મોબાઇલ, રૂ. 1,45,000ની કિંમતના 3 બાઇકો, રૂ. 2,00,000ની સ્વીફ્ટ ગાડી સહિત રૂ. 4,22,000ના મુદ્દામાલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ દરોડામાં થાન પીઆઈ આઇ.બી.વલવી, રામભા ડી.રાજૈયા, કરશનભાઈ લોહ, મુનાભાઇ એન.રાઠોડ, મનોજકુમાર પી.ઝાલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. બીજી તરફ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દારૂ-જુગારની બદ્દીને દુર કરવા માટે પેટ્રોલિંગ સાથે દરોડાઓની પોલીસે કાર્યવાહી કરતા જુગારીઓ તેમજ દારૂ પીતા અને દારૂનું વેચાણ કરતા શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विषाक्त पदार्थ का सेवन करने से युवक की मौत, जांच में जुटी पुलिस
लाखेरी. शहर में गृह क्लेश के चलते एक युवक की विषाक्त पदार्थ का सेवन करने से मौत हो गई। प्राप्त...
શું નરેન્દ્ર મોદી પોતાની હયાતીમાં જ અમર થવા માગે છે? – Prashant Dayal
શું નરેન્દ્ર મોદી પોતાની હયાતીમાં જ અમર થવા માગે છે? – Prashant Dayal
होटल फेडरेशन लोकसभा अध्यक्ष ओम बिरला से मिला, वंदे भारत एक्सप्रेस ट्रेन का बूंदी में ठहराव के आश्वासन पर जताया आभार
बूंदी। होटल फेडरेशन ऑफ राजस्थान कोटा संभाग की बून्दी ईकाई के पदाधिकारीयों ने मंगलवार को संभागीय...