હળવદ શહેરની સાંદિપની સ્કૂલ પાછળ આવેલી શ્રીજીનગર સોસાયટીમાં પાયાની સુવિધા પણ ન મળતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખઆડા કાન કરતું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજે ફરી શ્રીજીનગર સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધા આપવા નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. તેમણે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, શ્રીજીનગર સોસાયટીમાં આશરે 300થી વધારે લોકો રહે છે. અને છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધા જેવી કે, સમયસર પાણી ન મળવું, સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં છે, ગટર લાઈન પણ બ્લોક થઈ ગઈ હોવાથી ગટરનું પાણી ઉભરાઈને બહાર આવે છે જેથી ગંદકી અને મચ્છરના ઉપદ્રવથી ત્યાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. તો સાથે રસ્તાઓ પણ તૂટેલા છે. પરંતુ રિપેરીંગ કરવાની તસ્દી પણ તંત્ર ન લેતું હોવાનું જણાવ્યું હતું. સાથે જ ચોમાસામાં રસ્તા પરના ખાડાના કારણે લોકો ખાડામાં પડી જવાના પણ બનાવ બને છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. જેથી તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધા મળે તે માટે સોસાયટીના રહીશોએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખાંભા તાલુકાના તાતણીયા ગામે પાણીનો પોકાર: નલ સે જલ યોજના માત્ર નામની, દૂર-દૂર સુધી લોકો પાણી માટે વલખા મારવા મજબૂર
ખાંભા તાલુકાના તાતણીયા ગામે પાણીનો પોકાર: નલ સે જલ યોજના માત્ર નામની, દૂર-દૂર સુધી લોકો પાણી માટે...
1 October 2022
গ্ৰহপতি শনিৰ সুন্দৰ অভিনয় মাজুলী কাছাৰী ময়দানত
1 October 2022
গড়মূৰ সত্ৰৰ যুৱতী সকলে মাজুলী কাছাৰী ময়দানত অনুষ্ঠিত হোৱা অসমী মেলাৰ সামৰণি...
Coronavirus in India: देश में फिर एक हजार के पार हुए कोरोना के केस, सक्रिय मरीजों के मामले में राहत जारी
देश में कोरोना के मामलों में फिर उछाल देखने को मिला है। बीते 24 घंटे में कोरोना वायरस के एक हजार...
पंजाब के राज्यपाल व ट्रस्ट संरक्षक कटारिया का जन्मदिन सेवा कार्यो के साथ मनाया
बालोतरा।
श्री चम्पालाल बांठिया चेरिटेबल ट्रस्ट द्वारा ट्रस्ट के संरक्षक पंजाब के...