સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમા અઢાર દિવસ પહેલા સુરેન્દ્રનગર સીટી એ-ડિવીઝન પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. જેનું રાજકોટ એફએસએલમાં પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકને ભારે હથિયારના ઘા મારીને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.ગત તા.6 જુલાઈના રોજ દુધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન પાસેથી પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. બે-ત્રણ દિવસથી પાણીમાં હોવાથી લાશ ફુલાઈ ગઈ હતી. આથી પોસ્ટમોર્ટમ માટે લાશને રાજકોટ મોકલીને મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા. મૃતકના ખીસ્સામાંથી થાનથી અમદાવાદની લોકલ ટીકીટ મળી આવી હતી. પોલીસે થાન રેલવે સ્ટેશન તથા બજારમાં તપાસ કરી હતી. પરંતુ મૃતકની ઓળખ આજ સુધી થઈ શકી નથી. દરમિયાન રાજકોટથી લાશનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો હતો.તેમાં મૃતકને માથામાં તથા ગરદન પાછળ ભારે પદાર્થ મારવાથી મોત થયાનું ખુલ્યું હતુ. એક કે એકથી વધારે અજાણ્યા શખ્સોએ કેનાલ નજીક અથવા કોઈ જગ્યાએ યુવાનને માથામાં અને ગરદન પાછળ મારીને કેનાલમાં ફેંકી દીધો હોવાની શક્યતા પોલીસ દ્વારા મનાઈ રહી છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रविंद्र वारुळे साने गुरुजी उपक्रमशील शिक्षक पुरस्काराने सन्मानित !
वैजापूर :- शैलेंद्र खैरमोडे
वैजापूर तालुक्यातील शिक्षण क्षेत्रात उल्लेखनीय कार्य...
iOS 17.1 And iPadOS 17.1: Apple ने आईफोन और आईपैड यूजर्स के लिए रिलीज किया नया अपडेट, चेक करें डिटेल्स
iOS 17.1 And iPadOS 17.1 एपल ने अपने यूजर्स के लिए iOS 17.1 और iPadOS 17.1 अपडेट पेश कर दिया है।...
গুৱাহাটীত ৰাজ্যসভাৰ প্ৰাক্তন সাংসদৰ পুত্ৰৰ আত্মহত্যা
ৰাজ্যসভাৰ এগৰাকী প্ৰাক্তন সাংসদৰ পুত্ৰই শুকুৰবাৰে গুৱাহাটীত আত্মহত্যা কৰা ঘটনাই চাঞ্চল্যৰ সৃষ্টি...
ભારત-પાકિસ્તાન મેચ :-ભારતને બીજો ઝટકો, રોહિત-રાહુલ આઉટ
એશિયા કપમાં ભારતની ત્રીજી મેચ પાકિસ્તાન સામે છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા...
RBI ના આંકડા અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં સૌથી વધુ નકલી નોટ ઝડપાઈક્યા તેની તપાસ થવી જોઈએ ડો.મનીષ દોશી
RBI ના આંકડા અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં સૌથી વધુ નકલી નોટ ઝડપાઈક્યા તેની તપાસ થવી જોઈએ ડો.મનીષ દોશી