સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમા અઢાર દિવસ પહેલા સુરેન્દ્રનગર સીટી એ-ડિવીઝન પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. જેનું રાજકોટ એફએસએલમાં પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકને ભારે હથિયારના ઘા મારીને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.ગત તા.6 જુલાઈના રોજ દુધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન પાસેથી પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. બે-ત્રણ દિવસથી પાણીમાં હોવાથી લાશ ફુલાઈ ગઈ હતી. આથી પોસ્ટમોર્ટમ માટે લાશને રાજકોટ મોકલીને મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા. મૃતકના ખીસ્સામાંથી થાનથી અમદાવાદની લોકલ ટીકીટ મળી આવી હતી. પોલીસે થાન રેલવે સ્ટેશન તથા બજારમાં તપાસ કરી હતી. પરંતુ મૃતકની ઓળખ આજ સુધી થઈ શકી નથી. દરમિયાન રાજકોટથી લાશનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો હતો.તેમાં મૃતકને માથામાં તથા ગરદન પાછળ ભારે પદાર્થ મારવાથી મોત થયાનું ખુલ્યું હતુ. એક કે એકથી વધારે અજાણ્યા શખ્સોએ કેનાલ નજીક અથવા કોઈ જગ્યાએ યુવાનને માથામાં અને ગરદન પાછળ મારીને કેનાલમાં ફેંકી દીધો હોવાની શક્યતા પોલીસ દ્વારા મનાઈ રહી છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ ટ્રાફિક જોઈન્ટ પોલીસ કમિશ્નર શ્રીઓ ની દિવાળીમાં પોલીસ ટ્રાફિક વ્યવસ્થા બાબતે પત્રકાર પરિષદ
અમદાવાદ ટ્રાફિક જોઈન્ટ પોલીસ કમિશ્નર શ્રીઓ ની દિવાળીમાં પોલીસ ટ્રાફિક વ્યવસ્થા બાબતે પત્રકાર પરિષદ
અંકલેશ્વર : વલસાડની હદમાં મારા મારી કરી ગાડી લઇ ફરારનો મામલો | SatyaNirbhay News Channel
અંકલેશ્વર : વલસાડની હદમાં મારા મારી કરી ગાડી લઇ ફરારનો મામલો | SatyaNirbhay News Channel
ઉમરગામ તાલુકાના મુખ્ય માર્ગો અતિ બિસ્માર હાલતમાં ચંદ્રની ધરતી સમાન જોવા મળી રહ્યા છે
ઉમરગામ તાલુકાના મુખ્ય માર્ગો અતિ બિસ્માર હાલતમાં ચંદ્રની ધરતી સમાન જોવા મળી રહ્યા છે
सोलापूर लातूर कुर्ला रेल्वेस आता देण्यात आले थांबा
सोलापूर लातूर कुर्ला रेल्वेस आता देण्यात आले थांबा
সামাজিক লিংগ আৰু নিৰ্যাতন সম্পৰ্কে খোৱাং মহাবিদ্যালয়ত সজাগতা সভাৰ আয়োজন
ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয়ৰ ৰেডিঅ জ্ঞানমালিনীৰ উদ্যোগত আৰু খোৱাং মহাবিদ্যালয়ৰ মহিলা কোষৰ সহযোগত...