સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમા અઢાર દિવસ પહેલા સુરેન્દ્રનગર સીટી એ-ડિવીઝન પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. જેનું રાજકોટ એફએસએલમાં પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકને ભારે હથિયારના ઘા મારીને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.ગત તા.6 જુલાઈના રોજ દુધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન પાસેથી પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. બે-ત્રણ દિવસથી પાણીમાં હોવાથી લાશ ફુલાઈ ગઈ હતી. આથી પોસ્ટમોર્ટમ માટે લાશને રાજકોટ મોકલીને મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા. મૃતકના ખીસ્સામાંથી થાનથી અમદાવાદની લોકલ ટીકીટ મળી આવી હતી. પોલીસે થાન રેલવે સ્ટેશન તથા બજારમાં તપાસ કરી હતી. પરંતુ મૃતકની ઓળખ આજ સુધી થઈ શકી નથી. દરમિયાન રાજકોટથી લાશનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો હતો.તેમાં મૃતકને માથામાં તથા ગરદન પાછળ ભારે પદાર્થ મારવાથી મોત થયાનું ખુલ્યું હતુ. એક કે એકથી વધારે અજાણ્યા શખ્સોએ કેનાલ નજીક અથવા કોઈ જગ્યાએ યુવાનને માથામાં અને ગરદન પાછળ મારીને કેનાલમાં ફેંકી દીધો હોવાની શક્યતા પોલીસ દ્વારા મનાઈ રહી છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नवलनी मौत मामले में पश्चिमी देशों के बयानों पर आग बबूला हुआ रूस, प्रवक्ता ने पुतिन को लेकर किया ये बड़ा दावा
रूस ने सोमवार को साफ शब्दों में कहा कि एलेक्सी नवलनी (Alexei Navalny Death) की मौत पर पश्चिम की...
অসম আৰক্ষীয়ে সামাজিক মাধ্যমত পিতৃ দিৱসৰ শুভেচ্ছা জ্ঞাপন কৰিলে
অসম আৰক্ষীয়ে সামাজিক মাধ্যমত পিতৃ দিৱসৰ শুভেচ্ছা জ্ঞাপন কৰিলে এনেদৰে।এগৰাকী পুলিছ ও যে এগৰাকী...
दिल्ली के शास्त्री पार्क में मॉर्टिन कॉइल के चलते बड़ा हादसा, एक ही परिवार के 6 लोगों की मौत
राष्ट्रीय राजधानी दिल्ली से दिल दहला देने वाली खबर सामने आ रही है. यहां एक ही परिवार के 6 लोगों...