સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમા અઢાર દિવસ પહેલા સુરેન્દ્રનગર સીટી એ-ડિવીઝન પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. જેનું રાજકોટ એફએસએલમાં પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકને ભારે હથિયારના ઘા મારીને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.ગત તા.6 જુલાઈના રોજ દુધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન પાસેથી પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. બે-ત્રણ દિવસથી પાણીમાં હોવાથી લાશ ફુલાઈ ગઈ હતી. આથી પોસ્ટમોર્ટમ માટે લાશને રાજકોટ મોકલીને મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા. મૃતકના ખીસ્સામાંથી થાનથી અમદાવાદની લોકલ ટીકીટ મળી આવી હતી. પોલીસે થાન રેલવે સ્ટેશન તથા બજારમાં તપાસ કરી હતી. પરંતુ મૃતકની ઓળખ આજ સુધી થઈ શકી નથી. દરમિયાન રાજકોટથી લાશનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો હતો.તેમાં મૃતકને માથામાં તથા ગરદન પાછળ ભારે પદાર્થ મારવાથી મોત થયાનું ખુલ્યું હતુ. એક કે એકથી વધારે અજાણ્યા શખ્સોએ કેનાલ નજીક અથવા કોઈ જગ્યાએ યુવાનને માથામાં અને ગરદન પાછળ મારીને કેનાલમાં ફેંકી દીધો હોવાની શક્યતા પોલીસ દ્વારા મનાઈ રહી છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জ্যোতি বিদ্যাপীঠত অভিনন্দন গ্ৰহণ কৰি কি কলে শিক্ষাৰ্থীয়ে।
জ্যোতি বিদ্যাপীঠত অভিনন্দন গ্ৰহণ কৰি কি কলে শিক্ষাৰ্থীয়ে।
India Cements Share Trading Today | Ban में आने के बाद क्या करें निवेशक? | India Cements Share Price
India Cements Share Trading Today | Ban में आने के बाद क्या करें निवेशक? | India Cements Share Price
जसप्रीत बुमराह या शाहीन अफरीदी? जानें रिकी पोंटिंग की नजरों में ऑस्ट्रेलियाई पिच पर कौन होगा बेहतर
T20 World Cup: रिकी पोंटिंग ने कहा कि जसप्रीत बुमराह और शाहीन अफरीदी में से एक को चुनना कठिन है,...
વીજપડી સરકારી પ્રાથમિક શાળાના ધોરણ -1 ની બાળકો ને દફ્તર વિતરણ //RAVI KUAMAR DODIYA
વીજપડી સરકારી પ્રાથમિક શાળાના ધોરણ -1 ની બાળકો ને દફ્તર વિતરણ //RAVI KUAMAR DODIYA
શિહોરના ગોતમેશ્વર રોડ ઉપર ડુંગર ગાળાની વચ્ચે દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો
શિહોરના ગોતમેશ્વર રોડ ઉપર આવેલા દીપડીયા ડુંગર ઉપર આજે વહેલી સવારે ડુંગર ગાળાની વચ્ચે દીપડાનો...