સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમા અઢાર દિવસ પહેલા સુરેન્દ્રનગર સીટી એ-ડિવીઝન પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. જેનું રાજકોટ એફએસએલમાં પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકને ભારે હથિયારના ઘા મારીને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.ગત તા.6 જુલાઈના રોજ દુધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન પાસેથી પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. બે-ત્રણ દિવસથી પાણીમાં હોવાથી લાશ ફુલાઈ ગઈ હતી. આથી પોસ્ટમોર્ટમ માટે લાશને રાજકોટ મોકલીને મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા. મૃતકના ખીસ્સામાંથી થાનથી અમદાવાદની લોકલ ટીકીટ મળી આવી હતી. પોલીસે થાન રેલવે સ્ટેશન તથા બજારમાં તપાસ કરી હતી. પરંતુ મૃતકની ઓળખ આજ સુધી થઈ શકી નથી. દરમિયાન રાજકોટથી લાશનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો હતો.તેમાં મૃતકને માથામાં તથા ગરદન પાછળ ભારે પદાર્થ મારવાથી મોત થયાનું ખુલ્યું હતુ. એક કે એકથી વધારે અજાણ્યા શખ્સોએ કેનાલ નજીક અથવા કોઈ જગ્યાએ યુવાનને માથામાં અને ગરદન પાછળ મારીને કેનાલમાં ફેંકી દીધો હોવાની શક્યતા પોલીસ દ્વારા મનાઈ રહી છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં શોપિંગ ના પાયાના ખોદકામ દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં એક મજૂર દટાયો..
ડીસામાં શોપિંગ ના પાયાના ખોદકામ દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં એક મજૂર દટાયો..
ડીસામાં લાયન્સ હોલ...
आतंकवाद के समूल नाश को लेकर मोदी सरकार वचनबद्ध : चुग ll शहीदों को शत शत नमन, दहशतगर्दी फैलाने वालों को करारा जवाब दिया जायेगा : चुग ll गत दिनों में आतंकवादियों पर कठोर एवम निर्णायक कार्यवाही से बौखलाहट में आतंकी हमले कर रहे हैं : चुग
भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव और जम्मू कश्मीर लद्दाख केन्द्र शासित प्रदेश प्रभारी तरुण...
ঘৰে ঘৰে জাতীয় পতাকা কাৰ্যসূচীৰ অংশ হিচাপে বিশ্বনাথ সমষ্টিৰ অন্তৰ্গত কেইবাজনো জ্যেষ্ঠ ব্যক্তিক সম্বৰ্ধনা স্থানীয় বিধায়কৰ
আজি বিশ্বনাথ বিধানসভা সমষ্টিৰ বিধায়ক প্ৰমোদ বৰঠাকুৰ "ঘৰে ঘৰে জাতীয় পতাকা" কাৰ্যসূচীৰ অংশ হিচাপে...
બીજના દિવસે ડીસા જલારામ મંદિર પાસે આવેલા રામદેવપીર ભગવાનના મંદિરે ભક્તોની ભીડ જામી
બીજના દિવસે ડીસા જલારામ મંદિર પાસે આવેલા રામદેવપીર ભગવાનના મંદિરે ભક્તોની ભીડ જામી
3rd Triennial Conference United People's Party Liberal at Kokrajhar
3rd Triennial Conference United People's Party Liberal at Kokrajhar.