સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમા અઢાર દિવસ પહેલા સુરેન્દ્રનગર સીટી એ-ડિવીઝન પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. જેનું રાજકોટ એફએસએલમાં પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકને ભારે હથિયારના ઘા મારીને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.ગત તા.6 જુલાઈના રોજ દુધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન પાસેથી પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. બે-ત્રણ દિવસથી પાણીમાં હોવાથી લાશ ફુલાઈ ગઈ હતી. આથી પોસ્ટમોર્ટમ માટે લાશને રાજકોટ મોકલીને મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા. મૃતકના ખીસ્સામાંથી થાનથી અમદાવાદની લોકલ ટીકીટ મળી આવી હતી. પોલીસે થાન રેલવે સ્ટેશન તથા બજારમાં તપાસ કરી હતી. પરંતુ મૃતકની ઓળખ આજ સુધી થઈ શકી નથી. દરમિયાન રાજકોટથી લાશનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો હતો.તેમાં મૃતકને માથામાં તથા ગરદન પાછળ ભારે પદાર્થ મારવાથી મોત થયાનું ખુલ્યું હતુ. એક કે એકથી વધારે અજાણ્યા શખ્સોએ કેનાલ નજીક અથવા કોઈ જગ્યાએ યુવાનને માથામાં અને ગરદન પાછળ મારીને કેનાલમાં ફેંકી દીધો હોવાની શક્યતા પોલીસ દ્વારા મનાઈ રહી છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં નજીવી બાબતે 70 થી 80 લોકોના ટોળાએ સામસામે પથ્થરમારો કરતાં ચકચાર
ડીસાના ઇન્દિરા નગર-ધુળીયાકોટ વિસ્તારમાં એક જ સમાજના લોકો વચ્ચે નજીવી બાબતે તકરાર થતા...
शरीर में नजर आने वाले ये लक्षण करते हैं लिवर परेशानियों की ओर इशारा, न करें अनदेखी
लिवर हमारे शरीर का बहुत ही जरूरी अंग है जो 100 से भी ज्यादा काम करता है। इसमें किसी भी तरह की...
লাচিত বৰফুকনৰ গুণ গৰিমা প্ৰচাৰৰ বাবে চৰাইদেউ জিলা জনসংযোগ বিভাগৰ তৎপৰতা
লাচিত বৰফুকনৰ গুণ গৰিমা প্ৰচাৰৰ বাবে চৰাইদেউ জিলা জনসংযোগ বিভাগৰ তৎপৰতা গ্ৰহণ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ગાંધીધામમાં ભવ્ય રોડ શો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ગાંધીધામમાં ભવ્ય રોડ શો
સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો રંગ...