સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમા અઢાર દિવસ પહેલા સુરેન્દ્રનગર સીટી એ-ડિવીઝન પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. જેનું રાજકોટ એફએસએલમાં પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકને ભારે હથિયારના ઘા મારીને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.ગત તા.6 જુલાઈના રોજ દુધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન પાસેથી પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. બે-ત્રણ દિવસથી પાણીમાં હોવાથી લાશ ફુલાઈ ગઈ હતી. આથી પોસ્ટમોર્ટમ માટે લાશને રાજકોટ મોકલીને મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા. મૃતકના ખીસ્સામાંથી થાનથી અમદાવાદની લોકલ ટીકીટ મળી આવી હતી. પોલીસે થાન રેલવે સ્ટેશન તથા બજારમાં તપાસ કરી હતી. પરંતુ મૃતકની ઓળખ આજ સુધી થઈ શકી નથી. દરમિયાન રાજકોટથી લાશનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો હતો.તેમાં મૃતકને માથામાં તથા ગરદન પાછળ ભારે પદાર્થ મારવાથી મોત થયાનું ખુલ્યું હતુ. એક કે એકથી વધારે અજાણ્યા શખ્સોએ કેનાલ નજીક અથવા કોઈ જગ્યાએ યુવાનને માથામાં અને ગરદન પાછળ મારીને કેનાલમાં ફેંકી દીધો હોવાની શક્યતા પોલીસ દ્વારા મનાઈ રહી છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*દિયોદરના વી. કે. વાઘેલા હાઇસ્કૂલ ખાતે સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે.*
દિયોદરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાશે..બનાસકાંઠા જિલ્લાના દિયોદરની વી.કે.વાઘેલા...
હવે લોકોને શેકેલો પાપડ ભાંગવો પણ પડશે મોંઘો, GST બેઠકમાં લેવાયો નિર્ણય | Jamawat
હવે લોકોને શેકેલો પાપડ ભાંગવો પણ પડશે મોંઘો, GST બેઠકમાં લેવાયો નિર્ણય | Jamawat
તહેવાર ટાણે રાલેજ ગામે ગટર ઊભરાવાની અને પીવાના દૂષિત પાણીની સમસ્યા હલ ન થતા રહીશો ત્રાહિમામ
તહેવાર ટાણે રાલેજ ગામે ગટર ઊભરાવાની અને પીવાના દૂષિત પાણીની સમસ્યા હલ ન થતા ત્રાહિમામ પોકારી...
Bhavnagar I પ્રજાપતિ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો I Divyang News
Bhavnagar I પ્રજાપતિ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો I Divyang News
Sanjay Singh ED Raid: ‘आज मेरे अलमारी की Enquiry की..’, ED रेड पर बोले Sanjay Singh के पिता | AAP
Sanjay Singh ED Raid: ‘आज मेरे अलमारी की Enquiry की..’, ED रेड पर बोले Sanjay Singh...