ચોટીલા થાનગઢ રોડ ઉપરની આશાપુરા નગર સોસાયટીમાં ગત રાત્રીનાં તસ્કરોએ તરખાટ મચાવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ ફેલાયો છે અને કડક પેટ્રોલીંગ સાથે તસ્કરોને કડવા માંગ કરાઇ છે.યાત્રાધામ ચોટીલામાં આવેલ આશાપુરા નગર સોસાયટીને ગઇ રાત્રે કોઇ અજાણ્યા તસ્કરો એ ધમરોળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે તસ્કરો કોઈ વાહાન સાથે આવ્યા હોવાની આશંકા છે એક મકાનમાં તરખાટ મચાવી દાગીના રોકડ સહિતના માલ સામાનની ચોરી કરેલ છે તેમ ત્રણ જેટલા વાહાનો ઉઠાવ્યા હતા પરંતુ જે વાહનમાં ભરીને લઈ જવાના હતા તે નહી ઉપડતા બે વાહાનો માંથી પેટ્રોલ બેટરી કાઢી અન્ય વાહાનોમાં નાસી છુટયાનું અનુમાન છે.એક કરતા વધારે લોકો આ ચોરી કરવા માટે આવેલ હોવાનું તેમજ પુરી રેકી કરી ને ચોરી કર્યા નું સ્થાનિક સોસાયટીના લોકોનું માનવું છે. વહેલી સવારે લોકો ઉઠતા તેઓને સમગ્ર બનાવની જાણ થતા પોલીસ મથકે દોડી ગયેલ હતા પરંતુ ત્યાં આગળ જે જવાબ મલ્યા તેનો પણ કચવાટ ઉઠેલ છે.સુત્રો માંથી જાણવા મલ્યા મુજબ ઉચ્ચ પોલીસ અધિકારી ની ચોટીલામાં હાજરી હોવા છતા હત્યા કરાયેલ લાશ અને તસ્કરોનો તરખાટ મચતા ગુનેગારો ઉપર ખાખી નો ખોફ વિસરાયો હોવાની લોકોમાં ચર્ચા છે.