રાજકોટ નજીક પાળ ગામ પાસે આવેલ જખરાપીરની દરગાહ પાસે નદીમાં બાઈક સાથે યુવક તણાઈ જતા ફાયર બ્રિગેડની ટીમો દોડાવાઈ હતી. અને શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં તણાઈ ગયો તે યુવકનું નામ ચિરાગ ભગવાનભાઈ વાઘેલા (ઉ.વ.26) હોવાનું સામે આવ્યું હતું. જે પછી સાંજના સમયે ચિરાગનો મૃતદેહ મળ્યો હતો.ચિરાગ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સીતાજી ટાઉનશીપમાં રહેતો માર્કેટિંગનું કામ કરતો. તેની પત્ની સગર્ભા છે. તેના ગર્ભમાં ટ્વીન્સ બાળકો છે. ટ્વીન્સ બાળકો જન્મ લ્યે તે પહેલાં જ પિતાનું અકાળે મોત થતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. મૃતક મૂળ ધ્રાંગધ્રાના અંકોળિયા ગામનો વતની હોવાનું અને રાજકોટમાં માર્કેટિંગનું કામ કરતો હોવાનું જાણવા મળે છે.આ ઘટનાનો વિડીયો વાઈરલ થયો હતો. બનાવની જાણ થતા મવડી ફાયર સ્ટેશનથી સ્ટેશન ઓફીસર યોગેશભાઈ જાની સાથેની ટીમ દોડી ગઈ હતી. શોધખોળ કરવામાં આવી રહી હતી. મૃતક ગુરૂવારે સાંજે પોતાનું બાઇક ચલાવીને લોધિકા તરફ જઇ રહ્યો હતો અને પાળ ગામના બેઠા પુલ પર પહોંચ્યો હતો. અનેક લોકો પુલના કિનારે અટકી ગયા હતા, પરંતુ ટ્રક અને સ્કૂલ બસ સહિતના વાહનો પુલ પરથી પસાર થતા હોય, ચિરાગે પણ બાઈક પુલ પર ચલાવ્યું હતું પણ પાણીના પ્રવાહમાં તે બાઇક સાથે તણાયો હતો.શુક્રવારે સાંજે કણકોટ પુલ નજીક પોપટભાઇની વાડી નજીકથી ચિરાગ વાઘેલાનો મૃતદેહ મળી આવ્યો હતો, આ અંગેની જાણ થતાં લોધિકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઇ સહિતની ટીમ દોડી ગઇ હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મૃતક બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેના પત્ની હાલમાં સગર્ભા છે. બનાવના પગલે પરિવારમાં શોક છવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસથી ઇટાળા ગામની સીમમાંથી 3 ફૂટ ના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
:- 17/09/2022 ને શનિવારના રોજ ગળતેશ્વર તાલુકાના ઇટાળા ગામે રાત્રે લગભગ 09:00 વાગ્યાંની આસપાસ...
અમરેલી અર્જુન નગર 2માં ગણપતી સાનિધ્ય માં બહેનો દ્વારા સતસંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
અમરેલી અર્જુન નગર 2માં ગણપતી સાનિધ્ય માં બહેનો દ્વારા સતસંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ...
તળાજામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ બ્લોક હેલ્થ કચેરી દ્વારા ટીબી પેશન્ટને કીટ વિતરણ કરાયું
તળાજામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ બ્લોક હેલ્થ કચેરી દ્વારા ટીબી પેશન્ટને કીટ વિતરણ કરાયું
દેવગઢ બારીઆ મુકામે આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાંઆવ્યું છે
દેવગઢ બારીઆ મુકામે આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાંઆવ્યું છે
लल्लनटॉप में Duniyadari, Cinema Show लिखने वाले क्या पढ़ते हैं? Padhaku Viman| Books Recommendations
लल्लनटॉप में Duniyadari, Cinema Show लिखने वाले क्या पढ़ते हैं? Padhaku Viman| Books Recommendations