પીજીવીસીએલ સર્કલ ઓફીસમાં ફરજ બજાવતા એકાઉન્ટન્ટ જૂના નારીકેન્દ્ર રોડ પર રામેશ્વરનગરમાં ભાડે રહે છે. તેઓ શનિ રવિમાં પોતાના વતન ભિલોડા અરવ્લ્લી ગયા હતા, ત્યારે તેમના ઘરમાંથી સોનાની બંગડી, વીટી, બુટી મળીને કુલ રૂ. 1,75,000 ની મત્તા ચોરાયાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીજીવીસીએલના કર્મચારી બ્રિજેશભાઇ વાલજીભાઇ ભગોરા જેઓ સુરેન્દ્રનગરમાં નારીકેન્દ્ર રોડ પર રામેશ્વરનગરના હનુમાન મંદિર પાસે નિલેશભાઇ મહેશ્વરીના મકાનમાં ભાડે રહે છે. તેમનું વતન અરવલ્લી જિલ્લાનું ભિલોડા ગામે છે. તા.7 જુલાઇ થી તા.9 જુલાઇ સુધી શનિ રવિની રજામાં તેઓ વતનમાં ગયા હતા. સોમવારે સવારે 7-45 વાગે તેઓ ઘરે પરત ફર્યા. ત્યારે મકાનનો દરવાજો ખોલતા ખ્યાલ આવ્યો કે બારી ખુલ્લી હતી. અને બારીના સળીયા તુટેલા હતા. તેમજ કબાટ અને સામાન વેરવિખેર હાલતમાં હતા.કબાટની નજીક જઇને જોયુ તો ખબર પડી હતી કે સોનાના દાગીનની ચોરી થઇ છે. જેમાં 2 સોનાની બંગડી, 2 સોનાની વીટી, 2 સોનાની બુટ્ટી અને કાનની સેર મળીને કુલ રૂ. 1,75,000 ની મત્તા ચોરાઇ હતી. આ બનાવ અંગે પીએસઆઈ જી.એન.શ્યારાએ વધુ તપાસ હાથ ધરીને ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવલી મોકસીની નેકટર કેમમાંથી મળેલા ડ્રગ્સ નો મામલો
સાવલી મોકસીની નેકટર કેમમાંથી મળેલા ડ્રગ્સ નો મામલો
हवाई यात्रियों के लिए राहत भरी खबर, DGCA ने नियमों में दी ढील; एयरलाइंस कंपनियों को मिलेगी अब ये सुविधाएं
नई दिल्ली, भारत में विमान से सफर करने वाले यात्रियों के लिए सरकार ने एक खुशखबरी सुनाई है।...
ડીસા તાલુકાના ગુગળથી શેરપુરા જવાના માર્ગ પરના નાળા ખુલ્લા કરવામાં આવ્યા
ડીસા તાલુકાના ગુગળથી શેરપુરા જવાના માર્ગ પરના નાળા ખુલ્લા કરવામાં આવ્યા
Samajwadi Party founder Mulayam Singh Yadav dies at 82 on 10th October 2022.
Samajwadi Party founder Mulayam Singh Yadav died at a hospital in Gurugram,Hariyana after...
নাৰায়ণপুৰত বিধায়ক অমিয়ৰ প্ৰভাত ফেৰী
দেশৰ স্বাধীনতা দিৱস উদযাপন কৰাৰ লগতে আজাদী কা অমৃত মহোৎসৱ কাৰ্যসুচী উপলক্ষ্যে ৰাইজৰ মাজত সজাগতা...