પીજીવીસીએલ સર્કલ ઓફીસમાં ફરજ બજાવતા એકાઉન્ટન્ટ જૂના નારીકેન્દ્ર રોડ પર રામેશ્વરનગરમાં ભાડે રહે છે. તેઓ શનિ રવિમાં પોતાના વતન ભિલોડા અરવ્લ્લી ગયા હતા, ત્યારે તેમના ઘરમાંથી સોનાની બંગડી, વીટી, બુટી મળીને કુલ રૂ. 1,75,000 ની મત્તા ચોરાયાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીજીવીસીએલના કર્મચારી બ્રિજેશભાઇ વાલજીભાઇ ભગોરા જેઓ સુરેન્દ્રનગરમાં નારીકેન્દ્ર રોડ પર રામેશ્વરનગરના હનુમાન મંદિર પાસે નિલેશભાઇ મહેશ્વરીના મકાનમાં ભાડે રહે છે. તેમનું વતન અરવલ્લી જિલ્લાનું ભિલોડા ગામે છે. તા.7 જુલાઇ થી તા.9 જુલાઇ સુધી શનિ રવિની રજામાં તેઓ વતનમાં ગયા હતા. સોમવારે સવારે 7-45 વાગે તેઓ ઘરે પરત ફર્યા. ત્યારે મકાનનો દરવાજો ખોલતા ખ્યાલ આવ્યો કે બારી ખુલ્લી હતી. અને બારીના સળીયા તુટેલા હતા. તેમજ કબાટ અને સામાન વેરવિખેર હાલતમાં હતા.કબાટની નજીક જઇને જોયુ તો ખબર પડી હતી કે સોનાના દાગીનની ચોરી થઇ છે. જેમાં 2 સોનાની બંગડી, 2 સોનાની વીટી, 2 સોનાની બુટ્ટી અને કાનની સેર મળીને કુલ રૂ. 1,75,000 ની મત્તા ચોરાઇ હતી. આ બનાવ અંગે પીએસઆઈ જી.એન.શ્યારાએ વધુ તપાસ હાથ ધરીને ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Khedbrahma: Bjp Candidate અશ્વિન કોટવાડના સમર્થનમાં Cm Bhupendra Patel દ્વારા જનમેદની સંબોધવામાં આવી
Khedbrahma: Bjp Candidate અશ્વિન કોટવાડના સમર્થનમાં Cm Bhupendra Patel દ્વારા જનમેદની સંબોધવામાં આવી
રાધનપુર: માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ચાલતા કામોનું નિરીક્ષણ | SatyaNirbhay News Channel
રાધનપુર : માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ચાલતા કામોનું નિરીક્ષણ | SatyaNirbhay News Channel
PAK से लगातार बातचीत का युग खत्म:हरकतों का खामियाजा भुगतना पड़ता है-एस.जयशंकर
विदेश मंत्री एस जयशंकर ने कहा है कि पाकिस्तान के साथ बिना किसी रुकावट के बातचीत का युग अब खत्म हो...