મહુવા તાલુકાના ખરવાણ ગામની 900 થી વધુ સભાસદ ધરાવતી ખેડૂત મંડળીની ચૂંટણીમાં પ્રમુખ તરીકે તુષારભાઈ જે.પટેલની દરખાસ્ત ગુરુજીભાઈ પટેલ અને ટેકો ચંદુભાઈ પટેલ કરવામાં આવી હતી 15.07.2023ની મિટિંગમાં અન્ય કોઈ બીજી દરખાસ્ત નહિ આવતા બિન હરીફ તરીકે જાહેર કરવામાં કરવામાં આવ્યા હતા.તેમજ ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ બ્રામણીયાની દરખાસ્ત નરેન્દ્રભાઈ પટેલ અને ટેકો રઘુભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.જેમાં અન્ય કોઈ દરખાસ્તના આવતા પ્રમુખ તરીકે તુષારભાઈ પટેલ જ્યારે ઉપ પ્રમુખ તરીકે જયંતિભાઈ બ્રામણીયાની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી.સભાને સંબોધતા તુષારભાઈ પટેલે તમામ કમિટી સભ્યો,સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો.અને મંડળીને વિકાસના પંથે આગળ લઈ જવા નીર્ધાર વ્યકત કર્યો હતો.સભાનું સંચાલન અને આભાર વિધિ કમિટી સભ્ય સન્મુખભાઈએ કરી હતી.