દિયોદર તાલુકાના કોતરવાડા ગામે રેવન્યુ તલાટી સતત ગેરહાજર,,દાખલાઓ માટે ખેડૂતો અને ગામલોકોની રઝળપાટ....સરકારની ઓનલાઈન સુવિધાના જાહેરમાં ધજાગરા.....'ડિજિટલ ગુજરાત' માં રાજ્ય સરકારે જરૂરી દાખલા ગામલોકોને ઘર આંગણે મળી રહે તે માટે ગ્રામ પંચાયતોને ઓનલાઈન સુવિધાથી સજ્જ કરી છે પરંતુ દિયોદર તાલુકાના કોતરવાડા ગામે રેવન્યુ તલાટી અને ગ્રામસેવક ની સતત ગેરહાજરીના કારણે ખેડૂતો અને ગામલોકોને અગત્યના દાખલાઓ માટે રઝળવાનો વારો આવ્યો છે.કોતરવાડા ગામ એ દિયોદર તાલુકાનું સૌથી વધુ જન સંખ્યા ધરાવતું ગામ છે પરંતુ ગામની ગ્રામ પંચાયતમાં રેવન્યુ તલાટી ફરકતા નથી.ગ્રામ સેવકને તો કોઈ ઓળખતું પણ નથી. જેમની સતત ગેરહાજરીના કારણે જરૂરી દાખલાઓ ન મળતા લોકો અને ખેડૂતોના અગત્યના કામો અટવાય છે.તાલુકા મથક સુધી ધક્કો ખાવા છતાં સરકારી બાબુઓ ન મળતા સરકારની ઓનલાઈન સેવાના જાહેરમાં ધજાગરા ઉડે છે. ત્યારે રેવન્યુ તલાટીએ તો વચેટીયાને હવાલો સોંપી દીધો છે તેવા લોકોએ આક્ષેપો કરી વહીવટી તંત્ર સામે પણ બળાપો ઠાલવ્યો હતો.આ મુદ્દે દિયોદર મામલતદાર ગામની જાત મુલાકાત લઈ સત્વરે ઘટતા પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે.......
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिल्हाधिकारी यांनी दिला त्या शेतकरी कुटुंबाला दिले
सावकाराने केलेल्या अन्यायाविरोधात थेट मुख्यमंत्र्यांना पत्र लिहिणार्या माजलगाव...
बजट से पहले केंद्रीय मंत्री रामदास अठावले की भविष्यवाणी, PM मोदी पर दिया बड़ा बयान
पीएम नरेंद्र मोदी के तीसरे कार्यकाल का पहला बजट 23 जुलाई यानी कल पेश किया जाएगा. बजट से देश की...
હિંમતનગરમાં વિજયા દસમીએ નિકળેલી શોભાયાત્રા સંપન્ન, શોભાયાત્રમાં અખાડીયનો ધ્વારા વિવિધ કરતબો રજૂ કરાયા,મહેતાપુરા ઓવરબ્રિજ નીચે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો
(રાહુલ પ્રજાપતિ)
વિજયાદશમી નિમિત્તે મંગળવારે હિંમતનગરમાં વિહિપ તથા અન્ય સંગઠનો ધ્વારા ભગવાનની...
વલભીપુરની પાસે ધોળા જંકશન ખાતે શક્તિસિંહ ગોહિલ ની સભા યોજાઈ
વલભીપુરની પાસે ધોળા જંકશન ખાતે શક્તિસિંહ ગોહિલ ની સભા યોજાઈ
नए क्यूआर कोड वाले डिजिटल PAN 2.0 के बाद पुराने पैन कार्ड का क्या होगा? सीबीडीटी ने दिए सभी सवालों के जवाब
केंद्र सरकार ने पैन कार्ड सिस्टम के अपग्रेड को हरी झड़ी दे दी है। इसके साथ ही नागरिकों को अब नए...