વડગામ તાલુકાના નાવિસણા ગામે એકજ પરિવારના 3 સભ્યોના વીજ કરંટ લાગતા કરુણ મોત.

બ્રાહ્મણ પરિવારના પતિ પત્ની અને પુત્રને થાંભલે વીજ કરંટ લાગતા મોત નીપજતાં નાવિસના ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

વડગામ તાલુકાના નાવિસણા ગામે વીજ કરંટ લાગતા બ્રાહ્મણ પરિવારના 3 સભ્યોના મોત નિપજ્યા છે. થાંભલા સાથે બાંધેલા તાર પર કપડાં સૂકવવા જતી વખતે ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. કપડાં સુકવવા ગયેલી મહિલા ભાવનાબેન જોષીને ઉ.વ 38 કરંટ લાગતા બચાવવા ગયેલા પિતા પ્રકાશભાઈ જોષી ઉ.વ 42 અને પુત્ર રુદ્ર જોશી ઉ.વ 12 નું પણ મોત નિપજ્યું છે. વડગામ CHC માં સારવાર દરમિયાન માતા, પિતા અને પુત્ર ત્રણેયનું મોત નિપજ્યું છે. નાવિસણા ગામના ત્રણ લોકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો