આજરોજ ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન શ્રી અર્બુદા કન્યા કેળવણી સંકુલ રૈયા માં કરવામાં આવ્યું. હતુંતેમા ધોરણ 10 તેમજ ધોરણ 12 ના પ્રથમ તેમજ બીજો નંબર મેળવી તેજસ્વી વિદ્યાર્થીની ઓ ને શીલ્ડ તેમજ પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા તેમજ આ સંકુલ ના આચાર્યા અલ્કાબેન ચૌધરીતેમજ કૈલાસબેન ચૌધરી ને શાખા દ્વારા સન્માન પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દિયોદર ની શાખા ના કાર્ય ની રૂપરેખા શૈલેષભાઈ ઠક્કર દ્રારા જણાવવામાં આવી તેમજ ગુરુ વિશે નો મહિમા જામાભાઈ પટેલ તેમજ ભરતભાઇ ચૌધરી દ્રારા સમજાવવામા આવ્યો હતો. આ પ્રસંગે પર ઉપસ્થિત ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભરતભાઈ ચૌધરી તેમજ પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તેમજ શૈલેશ ભાઈ ઠક્કરતેમજ સક્રિય સભ્ય મોહનભાઈ મકવાણા તેમજ મહિલા સયોજિકા બિના બેન તેમજ અંજુબેનમકવાણા અને આ શાળા ના આચાર્યા અલ્કાબેન તેમજ કૈલાશબેન તેમજ સ્ટાફગણ તેમજ રઘુભાઈ પટેલ ક્લાર્ક ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો....