દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યા સંકુલ માં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો..બનાસકાંઠા જિલ્લાના દિયોદર મથકે આવેલ તપસ્વી વિદ્યા સંકુલ માં ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શરૂઆતમાં મહેમાનો દ્વારા કાર્યક્રમને દીપ પ્રગટાવી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય હેતલબેન ઠક્કર દ્વારા પધારેલ મહેમાનોની શાબ્દિક તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પધારેલ મહેમાનો પરિચય આપવામાં આવ્યો હતો. મહેમાનો માંથી અંબારામભાઈ જોશી દ્વારા ગુરુ અને શિષ્ય વચ્ચે નું મહત્વ સમજાવ્યું હતું. તેમજ શાળામાં નંબર મેળવેલ બાળકોને ટ્રોફી અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શાળાના પ્રમુખ ડાયાભાઈ ચૌધરી ને પણ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથ શાળાના આચાર્ય હેતલબેન ઠક્કર ને પણ સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા.આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભરતભાઈ ચૌધરી, ઉપપ્રમુખ હસમુખભાઈ સોલંકી,,પરિષદ પૂર્વ પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, રાષ્ટ્રીય એવોર્ડ અંબારામભાઈ જોશી, કનુભાઈ જોશી ,મોહનભાઈ મકવાણા,સહિત પરિષદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન શામળભાઈ નાઈ એ કર્યુ હતું....