જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સભાખંડ ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનો સન્માન સમારોહ યોજાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.સી.સંપટે જણાવ્યું હતું કે, દેશની આઝાદીમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને ઉજાગર કરવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશને આઝાદી અપાવવા માટે તન, મન, ધન સહિત પોતાનું સર્વસ્વ હોમી દીધું હતુ. જેના પરિણામે આપણને આ મહામૂલી આઝાદી મળી છે. ભારત આજે વિશ્વની સૌથી મોટામાં મોટી લોકશાહી તરીકે ઉભરી રહ્યું છે. આ લોકશાહી જીવંત રહી એના પાયામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ છે. વધુમાં જિલ્લા કલેક્ટરે ઉપસ્થિત સૌ લોકોને જિલ્લાના સ્વાતંત્ર્ય સૈનિકોની વિગતો આપવા માટે જાણ કરી હતી.જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે આ કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવોએ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને સાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી સરદારસિંહ રાણા, રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી મણિલાલ વલ્લભભાઈ કોઠારી, શ્રી સ્વામી શિવાનંદજી, શ્રી ચમનભાઈ માધવરાય વૈષ્ણવ, શ્રી મોતીભાઈ પરમાર, શ્રી પ્રાણજીવન ભાઈશંકર આચાર્ય, શ્રી અનોપચંદ મૂળચંદ શાહ, શ્રી ગિરધરલાલ નાગરદાસ શાહ, શ્રી વેણીરામ રૂગનાથજી મહેતા, શ્રી ડાહ્યાલાલ હરગોવિંદભાઈ જાની, શ્રી કાનજીભાઈ ગીરધરલાલ ભાડેલીયા, શ્રી શાંતિલાલ ચત્રભુજ શાહ, શ્રી કાંતિલાલ મહેતા, શ્રી પ્રભુદાસ ધરમશીભાઈ પટેલના પરિવારજનોનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জনজাতিকৰণৰ দাবীত চুতীয়া ছাত্ৰ সন্থাৰ প্ৰতিবাদ
◼️জনজাতিকৰণৰ দাবীত চুতীয়া ছাত্ৰ সন্থাৰ জোঁৰ সমদলমা
মাজুলী জিলা চুতীয়া ছাত্ৰ সন্থাৰ জোৰ লৈ উত্তাল...
मालवाहू ट्रक पलटी,वाहनाचे मोठे नुकसान; सुदैवाने जीवितहानी नाही@india report
मालवाहू ट्रक पलटी,वाहनाचे मोठे नुकसान; सुदैवाने जीवितहानी नाही@india report
अकलूज नगरपरिषदेच्या आराखड्यामध्ये पुण्यश्लोक अहिल्यादेवी होळकर यांचे स्मारक व उद्यानासाठी जागा उपलब्ध करून भव्य स्मारक उभारावे – प्रा. सतीश कुलाळ युवासेना नेते
अकलूज ग्रामपंचायतीचे आता नगर परिषदेमध्ये रूपांतर झाले असून अकलुज ग्रामपंचायत अस्तित्वात असताना...
US Inflation Numbers Impact LIVE | Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय
US Inflation Numbers Impact LIVE | Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय
50MP कैमरा और 5000mAh बैटरी वाला मोटोरोला का फोन मिल रहा सस्ता, कम कीमत पर प्रीमियम डिजाइन के साथ आता डिवाइस
Smartphone Under 10K अगर आप प्रीमियम डिजाइन वाले किसी फोन को खरीदने की तैयारी कर रहे हैं तो इसके...