સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ પાસે આવેલા વસ્તડી ગામમાં આવેલા મેલડી માતાજીનાં દર્શન કરવા કરવા માટે ગયા હતાં. દર્શન કરીને લીંબડીથી તેમના સગાને બેસાડીને ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે તે બગોદરા-બાવળા વચ્ચે આવેલા ભાયલા બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે વાહન પૂરઝડપે ચલાવી બાઈક સાથે અકસ્માત કરતાં બાઈકસવાર સવાર બંને વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત થવા પામ્યા હતાં. જેથી કેરાળા જીઆઇડીસી પોલીસમાં અકસ્માતની ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદમાં આવેલા વેજલપુરમાં રહેતાં ચેતનભાઇ સુરેશભાઇ ચાવડા પ્રાઇવેટ નોકરી કરીને પોતાના કુંટુંબનું ગુજરાન ચલાવતાં હતાં. તે દર રવિવારે જિલ્લાનાં વઢવાણ પાસે આવેલા વસ્તડી ગામમાં આવેલા મેલડી માતાજીનાં મંદિર દર્શન કરવા માટે જતાં હતાં. જેથી તે રવિવાર હોવાથી નોકરીએથી બારોબાર સાંજનાં પાંચે વાગ્યે બાઇક લઇને વસ્તડી મેલડી માતાજીનાં દર્શન કરવા ગયા હતાં. દર્શન કરીને લીંબડીમાં આવેલા ભલગામડા ગેઇટ પાસે રહેતાં તેમનાં મામાનાં દીકરા યશપાલભાઇ મહેન્દ્રભાઇ ડોડિયા બંને જણા લીંબડીથી રાત્રે સાડા બાર વાગ્યે વેજલપુર, અમદાવાદ આવવા માટે નીકળ્યા હતાં.રાત્રે અઢી વાગ્યાની આસપાસ બગોદરા-બાવળા રોડ ઉપર આવેલા ભાયલા બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે કોઇ અજાણ્યા વાહન સાથે એક્સિડેન્ટ થતાં બંનેને માથાનાં ભાગે અને શરીરે ગંભીર ઇજા થતાં બંનેનું સ્થળ ઉપર જ મોત થવા પામ્યું હતું. અકસ્માતમાં બાઇકને નુકસાન થવા પામ્યું હતું.અકસ્માત થતાં વાહન ચાલકો ઊભા રહીને લોકોએ બંનેના મૃતદેહને બાવળા સામૂહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જઇને તેમનાં સગાને અકસ્માતની જાણ કરતાં તેઓ બાવળા દોડી આવ્યા હતાં. અને સુરેશભાઈ પિતામ્બરભાઇ ચાવડાએ કેરાળા જીઆઇડીસી પોલીસમાં અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવતાં કેરાળા જીઆઇડીસી પોલીસનાં પીઆઇ એચ.સી.ગોહિલ, કોન્સ્ટેબલ હરદેવસિહ વગેરે સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઇને બંને લાશોનું પીએમ કરાવીને અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত চাহ জনজাতি ছাত্ৰ সন্থাৰ উদ্যোগত প্ৰশাসনিক সেৱাৰ কৰ্মশালা অনুষ্ঠিত।
মৰাণৰ তিলৈজান চাহ বাগিচা আদৰ্শ বিদ্যালয়ৰ উদ্যোগত আৰু অসম চাহ জনজাতি ছাত্ৰ সন্থা চমুকৈ 'আটছা'ৰ...
চামগুৰিত আশ্ৰয়হীন হ’ল জাক জাক চৰাই
নগাঁও জিলাৰ চামগুৰিৰ আমনিত ৩৭নং ৰাষ্ট্ৰীয় ঘাই পথৰ কাষত থকা এজোপা পুৰণিকলীয়া বট্ গছ কাটি পেলোৱাৰ...
ગોંડલમાં ફરી જંગલના રાજાના આંટાફેરા, લોકોમાં ભયનો માહોલ; જુઓ વીડિયો
ગોંડલમાં ફરી જંગલના રાજાના આંટાફેરા, લોકોમાં ભયનો માહોલ; જુઓ વીડિયો
प्रा.बळीराम लहाने यांना पीएचडी पदवी प्राप्त झाल्याबद्दल सत्कार
औसा: येथील श्री कुमारस्वामी महाविद्यालयात कनिष्ठ विभागात कार्यरत असलेले प्रा. बळीराम शिवाजी लहाने...
ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત, બારગઢમાં માલગાડીના 04થી વઘુ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
ભારત દેશમાં ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બારગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર...