લીંબડીમાં ઉપરવાસમાં વધુ વરસાદને લીધે તાલુકાના ટોકરાળા ગામના સર્વિસ રોડ ઉપર પાણી આવી જતા સામેની નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. જેથી ટોકરાળા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના લોકોએ આ સાત વ્યક્તિઓને જે.સી.બી.ની મદદથી રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચૂડા પંથકમાં ભારે વરસાદના પગલે સર્વત્ર જળબંબાકારની કફોડી સ્થિતિ સર્જાઇ છે. ચૂડા પંથકના અનેક વિસ્તારો ગળાડૂબ પાણીમાં ગરકાવ બન્યા છે. જ્યારે નદી નાળાઓ છલકાવવાની સાથે અનેક રસ્તાઓ પ્રભાવિત બન્યા છે. એવામાં લીંબડીમાં ઉપરવાસમાં વધુ વરસાદને લીધે લીંબડી તાલુકાના ટોકરાળા ગામના સર્વિસ રોડ ઉપર પાણી આવી જતા સામેની નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ જતા રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ટોકરાળા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના લોકોએઆ સાત વ્યક્તિઓને જે.સી.બી. લઈને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે લીંબડીની નદીમાં નવા નીર આવતા લીંબડી જગદીશ આશ્રમ રોડ પાસે આવેલી નદીના પટમાં બેઠો કોઝવે રોડ જે લીંબડીથી પાંદરી, કારોલ, રાણપુર બાજુએ જોડતો રોડ છે. તેમાં હાલમાં કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. જેથી લીંબડી કે.ડી સોલંકી મામલતદાર તેમજ લીંબડી પી.એસ.આઈ. જાડેજા અને પોલીસ ટીમ સહિતના અધિકારીઓએ તાકીદે સ્થળ ઉપર મુલાકાત લઈને પરિસ્થિતિ જોઈને હાલ તે બન્ને સાઈડ ઉપર રસ્તો બંધ કરાવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Haldwani Violence में दंगाइयों के शूट ऑन साइट का ऑर्डर, CM Pushkar ने DGP से क्या कहा?
Haldwani Violence में दंगाइयों के शूट ऑन साइट का ऑर्डर, CM Pushkar ने DGP से क्या कहा?
Israel Palestine War Impact On Market: जंग का बाजार पर कैसा असर होता है? निवेशित रहें या नहीं? |Gaza
Israel Palestine War Impact On Market: जंग का बाजार पर कैसा असर होता है? निवेशित रहें या नहीं? |Gaza
सुधीर मुनगंटीवारांची आदित्य ठाकरेंवर टीका | Sudhir Mungantiwar | Navi Mumbai
सुधीर मुनगंटीवारांची आदित्य ठाकरेंवर टीका | Sudhir Mungantiwar | Navi Mumbai
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે માતાજીના દર્શનાર્થે હજારો માઇ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ.
૫૧ શક્તિપીઠો પૈકીના ૧ શક્તિપીઠ ગણાતા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન...
ખેડામાં પિતા સમાન આધેડે એકતરફી પ્રેમમાં સગીરાનું ગળું કાપી હત્યા નિપજાવી
રાજ્યમાં દિવસને દિવસે ચોરી લુંટ હત્યા, સહિત ઘટનાઓ વધી રહી છે ગુનેગારોને જાણે કે હવે ખુલ્લો દૌર...