લીંબડીમાં ઉપરવાસમાં વધુ વરસાદને લીધે તાલુકાના ટોકરાળા ગામના સર્વિસ રોડ ઉપર પાણી આવી જતા સામેની નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. જેથી ટોકરાળા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના લોકોએ આ સાત વ્યક્તિઓને જે.સી.બી.ની મદદથી રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચૂડા પંથકમાં ભારે વરસાદના પગલે સર્વત્ર જળબંબાકારની કફોડી સ્થિતિ સર્જાઇ છે. ચૂડા પંથકના અનેક વિસ્તારો ગળાડૂબ પાણીમાં ગરકાવ બન્યા છે. જ્યારે નદી નાળાઓ છલકાવવાની સાથે અનેક રસ્તાઓ પ્રભાવિત બન્યા છે. એવામાં લીંબડીમાં ઉપરવાસમાં વધુ વરસાદને લીધે લીંબડી તાલુકાના ટોકરાળા ગામના સર્વિસ રોડ ઉપર પાણી આવી જતા સામેની નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ જતા રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ટોકરાળા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના લોકોએઆ સાત વ્યક્તિઓને જે.સી.બી. લઈને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે લીંબડીની નદીમાં નવા નીર આવતા લીંબડી જગદીશ આશ્રમ રોડ પાસે આવેલી નદીના પટમાં બેઠો કોઝવે રોડ જે લીંબડીથી પાંદરી, કારોલ, રાણપુર બાજુએ જોડતો રોડ છે. તેમાં હાલમાં કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. જેથી લીંબડી કે.ડી સોલંકી મામલતદાર તેમજ લીંબડી પી.એસ.આઈ. જાડેજા અને પોલીસ ટીમ સહિતના અધિકારીઓએ તાકીદે સ્થળ ઉપર મુલાકાત લઈને પરિસ્થિતિ જોઈને હાલ તે બન્ને સાઈડ ઉપર રસ્તો બંધ કરાવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अयोध्या राम मंदिर पहली बारिश में टपकने लगा:मुख्य पुजारी बोले- जहां रामलला, वहां पानी भरा; इंतजाम नहीं हुए तो दर्शन बंद होंगे
अयोध्या राम मंदिर को लेकर बड़ी खबर । मुख्य पुजारी आचार्य सत्येंद्र दास ने कहा- गर्भगृह में, जहां...
'छुट्टी पर भी आधी रात में बहा रहे पसीना मगर...', कपिल सिब्बल की बात पर क्यों भड़के सुप्रीम कोर्ट के जज
नई दिल्ली। सुप्रीम कोर्ट ने बुधवार को इस बात पर चिंता जाहिर की कि जजों को छुट्टियों के दौरान...
રાધનપુર-સાંતલપુરની નર્મદા કેનાલોમાં સાફ-સફાઈ તેમજ રીપેરીંગ કામમાં ભ્રસ્ટાચારની ઉઠી બુમરાડ.
રાધનપુર-સાંતલપુરની નર્મદા કેનાલોમાં સાફ-સફાઈ તેમજ રીપેરીંગ કામમાં ભ્રસ્ટાચારની ઉઠી બુમરાડ.
Year Ender 2024: इस साल भारत से अलविदा हुई ये गाड़ियां, जानिए कौन-से मॉडल्स हुए बंद
साल 2024 में भारतीय बाजार से कई मॉडल और वेरिएंट्स को बिक्री के लिए हटा दिया है। यह इसका संकेत हैं...
बाभळगाव येथे तब्बल 4 कोटी रुपयांचे विकासकामे; संपूर्ण पाथरी तालुक्यात विकासाचा पॅटर्न राबवणार- आ.बाबाजानी दुर्राणी
पाथरी:- तालुक्यातील पेठ बाभळगाव येथे विविध विकास कामांचे भूमिपूजन व लोकार्पण सोहळा बाबाजानी...