વય મર્યાદા નિવૃત્તિએ દરેક સરકારી કર્મચારી કે અધિકારીઓ માટે હંમેશા યાદગાર બનતી હોય છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા મામલતદાર ડી. એલ. ભાટિયા નિવૃત બનતા ધ્રાંગધ્રા તાલુકા સદન અને ધ્રાંગધ્રા વાણંદ સમાજ દ્વારા મામલતદાર ભાટિયાનાં સન્માનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા મધ્યે બ્રહ્મસમાજની વાડીમાં મામલતદાર કચેરીના પ્રાંત અધિકારી પટેલ સહીત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા યાદગાર ગિફ્ટ, મોમેન્ટો અને ફુલહારથી સન્માનની શરૂઆત બાદ તાલુકા પંચાયતના ટીડીઓ શાહ અને ડીવાયએસપી પુરોહિત સહીત અનેક મહાનુભાવો થકી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વાણંદ સમાજના મોભીઓ દ્વારા પોતાના જ્ઞાતિબંધુનાં ભવ્ય સન્માન સમારોહમાં વિશેષ આયોજન ગોઠવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી સાથે જોવા મળ્યા હતાં. સામાજિક કાર્યકરો, અધિકારીઓ દ્વારા મામલતદાર ભાટિયા દ્વારા જરૂરિયાત વર્ગ, વિધવા મહિલાઓ, દિવ્યાંગ વર્ગ તેમજ વૃધો માટે ટૂંક સમયમાં કરેલા કાર્યોને આવકાર્યા હતાં.મોટી સંખ્યામાં હાજરી સાથે સન્માન કાર્યક્રમ બાદ ભોજન અને ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી : માં અંબાના ધામને રંગબેરંગી રોશનીથી આવ્યું શણગારવામાં
અંબાજી : માં અંબાના ધામને રંગબેરંગી રોશનીથી આવ્યું શણગારવામાં
અંકલેશ્વર :પરિણીતાનો વીડિયો ઉતારી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર યુવક ઝડપાયો|SatyaNirbhay News Channel
અંકલેશ્વર :પરિણીતાનો વીડિયો ઉતારી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર યુવક ઝડપાયો|SatyaNirbhay News Channel
राहुल गांधी ने मोदी सरकार पर साधा निशाना, कहा- अग्निपथ योजना देश की रक्षा का सपना देखने वाले युवाओं का 'अपमान' है
नई दिल्ली। कांग्रेस नेता राहुल गांधी ने मोदी सरकार पर अग्निपथ सैन्य भर्ती योजना को लेकर...